રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 18 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું
24 કલાક દરમિયાન 495 નવા કેસ સાથે 700 દર્દીઓ થયાં સાજા
સાજા થવાનો દર 95.88 ટકા થયો
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 495 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 256,367 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.88 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 101 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાની રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.
રાજ્યમાં 7 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 700 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,45,807 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 4367 એક્ટિવ કેસ છે. જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 2 દર્દીના મોત
આજે કોવિડ-19થી 2 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4367 થઇ ગઇ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 98 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ, સુરત શહેરમાં 86, સુરત ગ્રામ્યમાં વધુ 09 કેસ, વડોદરા શહેરમાં 74, ગ્રામ્યમાં વધુ 24 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 59 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 14 કેસ, દાહોદમાં 16 કેસ નોઁધાયા છે જ્યારે અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, નવસારીમાં એક પણ કેસ નથી નોંધાયો.