ભારતમાં કોરોનાના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1087 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 76,569 પર પહોંચ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1087 નવા કેસ
વધુ 15 દર્દીઓના સારવાર દરમિયાન મોત
કુલ દર્દીઓનો આઁકડો 76,569 પર પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે, આજે 1083 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 59,522 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 77.72 ટકા થયો છે.આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, દાહોદ, અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 15 દર્દીઓના ભોગ લીધો છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 24 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 45 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
સતત ત્રીજા દિવસે 50 હજારથી વધુ ટેસ્ટ કરાયા
આપને જણાવી દઇએ કે, રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારવાને લઇને મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી ત્યારે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી 50 હજારથી ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં આજે ત્રીજા દિવસે 51,225 ટેસ્ટ કરાયા છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત