ભારતમાં કોરોના વાયરસના કેસ 70 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1169 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 15,436 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1169 કેસ
કુલ કેસનો આંકડો 1,52,765 પહોંચ્યો
અત્યાર સુધીમાં 3,577 દર્દીઓના થયાં મોત
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50,979 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1169 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,52,765 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 87.55 ટકા થયો છે.
આજે 1442 દર્દીઓ થયાં સાજા
આજે 1442 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,33,752 પર પહોંચ્યો છે. આજે 08 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,577 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 15,436 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 50,12,705 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહાનગરો બાદ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 151 દર્દીઓ સાજા થયા છે.
આ 6 જિલ્લામાં કુલ 08 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 08 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 254, અમદાવાદમાં 184, રાજકોટમાં 122, વડોદરામાં 128 અને જામનગરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે આ સાથે જ ઉત્તર ગુજરાતના મહેસાણાથી સારા સમાચાર એવા આવ્યા છે કે, ગત 24 કલાકમાં એકસાથે 151 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે.