ભારતમાં કોરોના વાયરસના કેસ 44 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1344 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા બાદ જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1344 નવા કેસ નોંધાયા
રાજકોટ, જામનગરમાં વધ્યા કોરોનાના કેસ
ગુજરાત સરકારના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1344 નવા કેસ સાથે કુલ આંક 1,10,971 પર પહોંચ્યો છે. તો આજે 1240 દર્દીઓ સાજા થયા છે. જેને લઇને કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.43% પર પહોંચ્યો છે. આજે સંક્રમણથી 16 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3183 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 71668 ટેસ્ટ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16318 છે. જ્યારે 94 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 275, અમદાવાદમાં 174 કેસ, વડોદરામાં 132, રાજકોટમાં 150 કેસ બાદજામનગરમાં 116 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ ડાંગમાં 1, પોરબંદરમાં 2, દ્વારકામાં 5 નોંધાયા છે. મહાનગરો બાદ જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ચિંતા વધી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.