ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 423 નવા કેસ
અમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા
રાજ્યમાં દર્દી સાજા થવાનો રેટ 62.61 ટકા થયો
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 423 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 17,217 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 314 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 314 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 39 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 861 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 10,780 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
01/06/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
314
સુરત
39
વડોદરા
31
ગાંધીનગર
11
મહેસાણા
6
બનાસકાંઠા
3
રાજકોટ
3
સાબરકાંઠા
3
આણંદ
2
પોરબંદર
2
અન્ય રાજ્ય
2
ભાવનગર
1
અરવલ્લી
1
પંચમહાલ
1
મહીસાગર
1
પાટણ
1
વલસાડ
1
સુરેન્દ્રનગર
1
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1063 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 65 લોકો વેન્ટિલેટર પર છે તો 5309 લોકો સ્ટેબલ છે.