સરકારે ખેડૂતોને કરોડોની રાહતનું પેકેજ જાહેર કર્યુ છે પરંતુ તેની વહેંચણી માટે સ્પેશ્યલ કરોડાનો ખર્ચો કરીને પ્રોગ્રામ અને સર્ટીફિકેટ વિતરણ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોમાં ચર્ચા જાગી છે કે, આ તો કંઈ સમારંભ યોજવાની વાત છે? આ ઉજવણી છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને તેમણે સરકારની મદદ લેવી પડી રહી હોય એ કોઈ ઉત્સવ નથી. પણ દરેક નાના મોટી ઘટનમાં ઉત્સવની આદત વાળી સરકાર ખેડૂતોને રાહત ચુકવણીનો પણ ઉત્સવ કરીને ખેડૂતોની લાગણીઓ દુભાવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
ખેડૂતોને મદદની જાહેરાત
8 જગ્યાએ કરવામાં આવશે મદદનું વિતરણ
CM વડોદરામાં કરશે વિતરણ
વખાના માર્યા ખેડૂતોને મદદ માટે સરકાર સર્ટિફિકેટ આપવાની વાતને પગલે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સરકાર હવે ખેડૂતોની મજબૂરીના પણ ઉત્સવો ઉજવશે? આજે ગુજરાતના કૃષિમંત્રીએ રાજ્યમાં કમોસમી વરસાદ અને લીલાદુષ્કાળને પગલે કરોડોનું રાહત પેકેજ જાહેર કર્યુ હતુ વળી આ માટે વીમા કંપનીઓની ગેરરીતિઓ પણ ખુલ્લી પડી ગઈ હતી. ત્યારે હવે જ્યારે કૃષિમંત્રીએ રાહત પેકેજ વિતરણની વાત કરી છે ત્યારે જાણે ભીખ વહેંચવાની હોય તેમ અલગ અલગ જિલ્લામાં સહાય વિતરણ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.
ખેડૂતોની મજબૂરીનો મહોત્સવ
મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રીથી લઈને તમામ મંત્રીઓ જુદા જુદા જિલ્લાઓમાં ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજવાના છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે આજે કૃષિ મંત્રીએ ખેડૂતોને પાક વિમાને લઇ મહત્ત્વનું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે ચાલુ વર્ષે 146 ટકા વરસાદ નોંધાયો. તો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કમસોમી વરસાદથી ઘાસચારો સંપૂર્ણપણે નાશ થયો. જેને લઇ પાક નુકસાનીનું વળતર ચૂકવાશે.
અટલજીના જન્મદિવસ નિમિત્તે ઉજવણી શરૂ
આવતીકાલે પૂર્વ PM અટલજીનો જન્મદિવસ છે. અને આવતીકાલથી જ નાણા આપવાની પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતોને અરજી માટે 1 માસનો સમય અપાયો હતો. જેમાં 24 લાખ ઉપરાંત ખાતેદારોએ અરજી કરી છે. પાક વિમાનું વળતર આપવાનો કાર્યક્રમ રાજ્યના 8 ભાગોમાં કરવામાં આવશે. જેમાં વડોદરામાં CMની આગેવાનીમાં કાર્યક્રમનો પ્રારંભ થશે. મહેસાણામાં નીતિન પટેલ અને અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહની હાજરીમાં સહાય ચૂકવાશે.