સરકારના પ્રવકતા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ, મહેસૂલ વિભાગ, રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ તેમજ કૃષિ વિભાગે કરેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી હતી કેબિનેટ બેઠક
બેઠકમા કેટલાક મહત્વના નિર્ણય લેવામા આવ્યા
આજે બુધવારે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાબતે પ્રવકતા મંત્રી જીતુ વાઘણીએ લેવાયેલા નિર્ણય પર માહિતી આપતા કહ્યું હતું કે મહેસુલ વિભાગે એફિડેવિટ માંથી મુક્તિનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપતા કહ્યું હતું કે કેટલીક જગ્યાએ અમલવારીનો પ્રશ્ન થતો હતો જેથી હવે મહેસૂલી કામમાં એફિડેવિટ માંથી મુક્તિ આપી દેવામાં આવશે. જેથી CMએ સેલ્ફ ડિકરેશન બાબતે મુખ્ય સચિવને સૂચના આપી છે.
ખેડૂતો માટે પણ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકાના ભાવે તુવેરની ખરીદી 90 દિવસ સુધી ચાલુ રાખવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે જ્યારે ચણાનું રજીસ્ટ્રેશન 28 ફેબ્રુઆરી સુધી થઈ શકશે.2 લાખ 52 હજાર ખેડૂતોએ ટેકના ભાવે ચણા વેચાણ રજીસ્ટેશન કરાવ્યું.
રોડ રિસરફેસ અને ખેલ મહાકુંભ વિષે શું કહ્યું?
14500 કિલોમીટરના રોડ રિસરફેસ કર્યા એ ખૂબ સારી વાત છે, પણ ગુજરાતમાં છે કેટલા કિલોમીટરના રોડ અને તૂટ્યા કેટલા વધુ વિગત લઈ લઉં છું. 14500નો આંકડો ઓછો ના કહેવાય.
ખેલ મહાકુંભ પોર્ટલ પર આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ
ખેલ મહાકુંભ નું પોર્ટલ આવતીકાલે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે જેમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. જિલ્લા દીઠ 150 અને રમતવીરો ભાગ લેશે સાથે 252 તાલુકા માં 50 જેટલા રમતવીરો હાજર રહેશે. આખો કાર્યક્રમ લાઈવ થશે.આ વખતે યોજાનાર આ ખેલમહાકુંભમાં 45 લાખ રમતવીરો ભાગ લેશે. આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે જે 10 દિવસ સુધી ચાલશે.