પરેશ ધાનાણીએ વિધાનસભામાં ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ કરવામાં આવતા નથી પણ અત્યાર સુધીમાં 500 મંદિર તોડી પાડયા
સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યાઃધાનાણી
'ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ થતા નથી'
સરકારને ઝીંગા ફાર્મમાં શુ રસ છે:ધાનાણી
આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી 12 વાગે શરૂ થઈ હતી. જેમાં પ્રથમ એક કલાકમાં પ્રશ્નોતરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન મહેસુલ વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ વિકાસના પ્રશ્નો પર ચર્ચા થઈ છે. આ સિવાય વન વિભાગ, પર્યાવરણ વિભાગ તથા સામાજિક ન્યાય વિભાગની પૂરક માંગણીઓ વિપક્ષે સરકારને મુઝવતા મુદ્દાઑની પ્રશ્નોતરી કરી હતી. આપને જણાવી દઈયે કે, બીજી માર્ચે શરૂ થયેલ વિધાનસભાનુ બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે.આ વખતનું બજેટ સત્રમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે અલગ અલગ મુદ્દે સરકારને ઘેરવામાં પ્રયાસો કરી રહી છે ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગેરકાયદે ઝીંગા ફાર્મ મુદ્દો ઉછળતા સરકાર પર કટાક્ષ કર્યો હતો કે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે પણ ગેરકાયદે ઝીંગા ફાર્મ ધમધમી રહ્યા છે.
રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યાઃ ધાનાણી
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે જે દબાણમાં આવતા હતા. પણ રાજ્યમાં ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ કરવામાં આવતા નથી આવતાએ એક યક્ષ પ્રશ્ન છે, સાથે જ સવાલ પણ કર્યો હતો કે સરકારને ઝીંગા ફાર્મમાં શુ રસ છે તે જવાબ આપે.
ગણવેશ સહાયમાં વધારો કરવાનો સરકારનો નિર્ણય
આજે વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતાની માગ પર ચર્ચા થઈ હતી. આ ચર્ચા બાદ મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યુ હતુ કે, સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી રહી છે. જેથી ગત વર્ષ કરતા બજેટમાં 7.29 ટકાનો વધારો કરાયો છે. જેમાં અનુસુચિત જાતી અને જનજાતીઓની વિવિધ સ્કીમ્સ જેવી કે, ગણવેશ સહાય, શિષ્યવૃત્તિ, વિદ્યાર્થીઓના નિભાવ ખર્ચ, આંતરજ્ઞાતિય લગ્નની સહાય, આશ્રમ શાળાના કર્મીઓના પગારમાં વધારો કરાયો છે. આમ આ બજેટમાં રૂ.586 કરોડ 29 લાખનો વધારો થયો છે.
સરકારે શ્રી સરકાર કરેલી જમીન કેટલી?
અમદાવાદ જિલ્લા અને મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં શ્રી સરકાર થયેલી જમીનના આંકડા સામે આવ્યા છે જેમાં વર્ષ 2020માં ઘટલોડિયામાં 22361 ચો.મી જમીન, સાબરમતીના વર્ષ 2021માં 13562 ચો.મી જમીન, મણિનગરમાં વર્ષ 2020માં 6526 ચો.મી જમીન, વર્ષ 2021માં 72033 ચો.મી જમીન, દસક્રોઇમાં વર્ષ 2021માં 99816 ચો.મી જમીન, સાણંદમાં વર્ષ 2020માં 5464 ચો.મી જમીન, વર્ષ 2021 માં 951380 ચો.મી જમીન, ધોળકાના વર્ષ 2020માં 11329 ચો.મી જમીન, ધંધુકામાં વર્ષ 2021માં 233 ચો.મી જમીન, વિસનગરમાં વર્ષ 2021માં 96263 ચો.મી જમીન, ઉંઝામાં વર્ષ 2020માં 2315 ચો.મી જમીન, વર્ષ 2021માં 8705 ચો.મી જમીન, બહુચરાજીમાં વર્ષ 2020માં 6937 ચો.મી જમીન, આ તમામ જમીન ફાળવણીની શરતમાં ભંગ થતા શ્રી સરકાર થઇ છે. MLA લાખા ભરવાડે પૂછેલા પ્રશ્નો સરકારે જવાબ રજૂ કર્યો હતો.
રાજ્ય પાસે 1165.34 કરોડ રૂપિયાનું ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ જમા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં સરકારે આંકડા રજૂ કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર પાસેનું 1165.34 કરોડ રૂપિયાનું ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે જમા છે. સાથે જ કેન્દ્રએ ફાળવેલી રકમની માહિતી આપી રજૂ કરી છે જેમાં કેન્દ્ર સરકારે 2019-20માં 886.80 કરોડ, વર્ષ 2020-21માં 1324 કરોડ રૂપિયા, વર્ષ 2021-22માં 1059.20 કરોડ તેમજ વાવાઝોડા નુકસાન સહાય બાબતે 100 કરોડ ફંડ ફાળવ્યા હતા જેમાંથી, વર્ષ 2019-20માં 2435.22 કરોડ વર્ષ 2020-21માં 2340.16 કરોડ, વર્ષ 2021-22માં 1004.87 કરોડ ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાં ગૌચર જમીનના આંકડા ચોંકાવનારા
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં આજે મોટો ખુલાસો થયો છે કે રાજ્યમાં 2303 ગામમાં ગૌચરની જમીન જ નથી તો તેની સામે રાજ્યના 9029 ગામમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે. તેમાં પણ બનાસકાંઠામાં 1165 ગામમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછા ગૌચરની જમીનની સંખ્યા સૌથી વધુ છે. વલસાડ જિલ્લાના 250 ગામમાં ગૌચર જ નથી. ઉપરોકત વિગત કોંગ્રેસની સંકલિત માહિતી પ્રમાણે રજૂ કરવામાં આવી છે.
સરકારની નીતિથી સિંહના મોત થયાઃ ધારાસભ્ય પ્રતાપ દૂધાત
ગુજરાત વિધાનસભા ગૃહમાં સિંહોના મોત મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું કે રાજ્યમાં 283 સિંહોના મોત થયાનુ સરકારે સ્વીકાર્યુ છે. સરકારની નીતિથી સિંહના મોત થયા છે. સિંહો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. અકસ્માતમાં સિંહોના મોત થયા છે. વન વિભાગની પૂરક માંગણીઓ પર દૂધાતે કહ્યું કે, જંગલ ખાતાની નીતિને લીધે ખનિજના બ્લોક પડતા નથી. દૂધાતે પ્રદૂષણ અંગે પણ કહ્યું કે, દિલ્હીના CMને પ્રદૂષણને લીધે ખાંસી બંધ થતી નથી. ગુજરાતમાં પણ પ્રદુષણ વધી રહ્યું છે.
ગત 2 વર્ષમાં 283 સિંહ અને 333 દીપડાનાં મોત થયાં
ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 283 સિંહ અને 333 દીપડાના મોત થયા છે. જેમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે. છેલ્લા 2 વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે. બીજી તરફ 2 વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે. ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ હોવાનું પણ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.