રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. રાજ્યમાં એક તરફ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર ખેડૂતોની પડખે ઉભી રહેતી જોવા મળી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં એડવાન્સમાં 2 હજાર રૂપિયાની સહાય ચુકવાઇ છે. ત્યારે બીજી તરફ સહકારી નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતોને આગળ આવવા માટે અપીલ કરી છે.
ખેડૂતોને 3 હપ્તામાં કુલ 6 હજાર આપવામાં આવે છેઃ સંઘાણી
જમા થયેલા 2 હજાર PM ફંડમાં આપવા સંઘાણીએ કરી અપીલ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં આવા 40 લાખથી પેટે કુલ 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમા કરાવી છે. ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોને 3 હપ્તામાં કુલ 6 હજાર આપવામાં આવે છે. ત્યારે જમા થયેલા 2 હજાર PM ફંડમાં આપવા સંઘાણીએ ખેડૂતોને અપીલ કરી છે. આમ, કોરોનાની મહામારીમાં ખેડૂતો આગળ આવે તેવી અપીલ દિલીપ સંઘાણીએ કરી છે.
દિલીપ સંઘાણીએ કહ્યું કે, દેશ મુશ્કેલીમાં છે ત્યારે આપણા ખાતમાં જમા થયેલા 2000 રૂપિયા પુનઃ પ્રધાનમંત્રીને અર્પણ કરીને દેશ સેવા કરીને દેશને કોરોના મુક્ત કરવામાં આપણું યોગદાન આપીએ.
40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના ખાતામાં જમા થયા રૂપિયા
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષમાં દરમિયાન 3 હપ્તામાં પ્રત્યેક ખેડૂતને કુલ 6 હજાર રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે. દેશભરમાં 4 કરોડ 91 લાખ ખેડૂત ખાતેદારોને રાહત આપતા 2000 રૂપિયાના પ્રથમ હપ્તા લેખે કુલ 62 હજાર કરોડની સહાય રકમ આપવામાં આવી રહી છે.