દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 12મો દિવસ છે. તો ખેડૂત સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું એલાન પણ કર્યું છે. ત્યારે આ મામલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશેને કહ્યું છે કે, ભારત બંધ દરમિયાન કડક સુરક્ષા કરવામાં આવે અને સાથે જ શાંતિ જાળવવામાં આવે. આ જાણકારી અધિકારીઓને આપી છે. ત્યારે હવે ભારત બંધને લઇને ગુજરાતના DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. DGPએ કહ્યું કે, આવતીકાલે ગુજરાતભરમાં 144 લાગુ રહેશે, ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ભારત બંધ મામલે ગુજરાતના DGPના કડક આદેશ
ગુજરાત પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યોઃ આશિષ ભાટિયા
144 ભંગ કરશે તો પણ કાર્યવાહી થશેઃ આશિષ ભાટિયા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, ભારત બંધ દરમિયાન ગુજરાત બંધ નહીં રહે. ત્યારે હવે આ મામલે ગુજરાતના GDP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કાલે ગુજરાત પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનર સુચના આપવામા આવી છે. સિનિયર અધિકારી પેટ્રોલિંગ કરશે. વધારાના બંદોબસ્ત ગોઠવણ કરવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી APMCમાં પણ બંદોબસ્ત આપવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, હાઇવે બ્લોક કરનારા, 144 ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 4થી વધારે લોકોએ ભેગા ન થવું. સામાજિક અંદરનું પાલન કરવું ફરજિયાત છે.
PCR વાન સ્થળ પર જઇ કાર્યવાહી કરશેઃ આશિષ ભાટિયા
તમામ જનાતને ભેગા ન થવાનું સૂચન કરવામાં આવ્યું છે. DGPએ જણાવ્યું કે, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલીંગ કરવામાં આવશે. PCR વાન સ્થળ પર જઇ કાર્યવાહી કરશે. IPC, બોમ્બે પોલીસ એક્ટ, એપીડેમિક એક્ટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે. અસામાજિક તત્વોની રાતથી જ ધરપકડ કરવામાં આવશે.