ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી એક હજારથી વધુના આંકે આવી ગયા છે. તો ગુજરાતમાં પણ કોરોનાએ રફતાર પકડી લીધી છે.
રાજ્યમાં 46 નવા કેસ સામે 33 દર્દીઓ થયાં સાજા
રાજ્યમાં હાલ 267 એક્ટિવ કેસ
સાજા થવાનો દર 99.09 ટકા પર પહોંચ્યો
રાજ્યમાં આજે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 46 કેસ નોંધાયા છે. તો 33 દર્દી સાજા થયા. જોકે આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. હાલ 267 એક્ટિવ કેસ છે, આ તમામ દર્દી સ્ટેબલ છે. તો સાજા થવાનો દર 99.09 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,16,127 દર્દી સાજા થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 10,944 દર્દીના મોત થયા છે.
આજરોજ કયા જિલ્લા અને કોર્પોરેશનમાં કેટલા નોંધાયા કેસ ?
આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 26, વડોદરા શહેરમાં 9, જામનગર શહેરમાં 3, સુરત શહેરમાં 3, રાજકોટ શહેરમાં 2, ગાંધીનગર શહેરમાં 1, મહેસાણામાં 1 અને સુરત ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.
કયા કેટલા સાજા થયા?
આજે અમદાવાદ શહેરમાં 15, વડોદરા શહેરમાં 4, સુરત શહેરમાં 2, રાજકોટ શહેરમાં 3, ગાંધીનગર શહેરમાં 3, મહેસાણામાં 1, અમદાવાદમાં 3, ભરૂચમાં 1 અને ગીર સોમનાથમાં 1 કોરોના દર્દી સ્વસ્થ થયો છે.
છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત
46 કેસઃ 3 જૂન
50 કેસઃ 2 જૂન
40 કેસઃ 1 જૂન
45 કેસઃ 31 મે
28 કેસઃ 29 મે
37 કેસઃ 28 મે
23 કેસઃ 27 મે
31 કેસઃ 26 મે
37 કેસઃ 25 મે
35 કેસઃ 24 મે
મહારાષ્ટ્રમાં નોંધાયા ચિંતાજનક કેસ,
આજે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી એક હજારથી વધુના આંકે આવી ગયા છે. જ્યાં કાલે કોરોનાના કેસોની સંખ્યા 1045 હતી ત્યારે આજે 1134 નવા કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત કોરોના સંક્રમણના કારણે ત્રણ લોકોના મોત થયા.
કેન્દ્રએ તાબડતોબ 6 રાજ્યોને જાણો શું આપી ચેતવણી
કોરોનાના વધુ કેસવાળા રાજ્યોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્ર લખ્યા છે. જેમાં તમિલનાડુ, કેરળ, તેલંગાણા, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના પત્રમાં આ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે તેઓ બધા જ ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને કોરોનાના કેસો પર નજર રાખે જેથી સંક્રમણના પ્રસારને સારી રીતે ટ્રેક કરી શકાય.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેરળના 11 જિલ્લા, તમિલનાડુના 2 જિલ્લા, મહારાષ્ટ્રના 6 જિલ્લા, કર્ણાટક એક જિલ્લા અને તેલંગાણામાં કોરોનાના કેસોમાં તેજી જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને કોરોના કેસોની દેખરેખ અને ટેસ્ટીંગ ચાલુ રાખવા તેમજ નિર્ધારિત નમૂનાઓ માટે જીનોમ સિક્વન્સિંગ ચાલુ રાખવા જણાવ્યું છે.
ભારતમાં કોરોનાના નવા કેસની ગતિમાં વધારો
રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં ભારતના કોરોનાના નવા કેસ 4 હજાર 41 નોંધાયા છે. તો એક દિવસમાં ભારતમાં કોરોનાથી 2 હજાર 363 દર્દી સ્વસ્થ થયા, એક દિવસમાં 10 લોકોના મૃત્યુ છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 21 હજાર 177 પર પહોંચી છે. કુલ કેસ 4 કરોડ 31 લાખ 68 હજાર 585 પાર પહોંચ્યા છે. કુલ સ્વસ્થ દર્દી 4 કરોડ 26 લાખ 22 હજાર 757 પર પહોંચી છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5 લાખ 24 હજાર 651 પર પહોંચ્યો છે.
વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત્
એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા કેસ 5 લાખ 34 હજાર 695 કેસ નોંધાયા છે. તો 5 લાખ 40 હજાર 54 દર્દી સ્વસ્થ થયા અને 1 હજાર 333 દર્દીના મૃત્યુ થયા. વૈશ્વિક સ્તરે કોરોનાના સક્રિય કેસ 2 કરોડ 28 લાખ 16 હજાર 287 થયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 53 કરોડ 39 લાખ 81 હજાર 575 પર પહોંચ્યા છે. કુલ 50 કરોડ 48 લાખ 48 હજાર 32 દર્દી સ્વસ્થ થયા છે. વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 63 લાખ 17 હજાર 256 પર પહોંચ્યો છે.