રાજ્યમાં કોરોનાના કુલ 3893 એક્ટિવ કેસ, 4 વિસ્તારના 18 ઘરો અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા
આજે રાજ્યમાં કોરોનાના નવા 636 કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 622 દર્દી થયા સ્વસ્થ
ગુજરાતમાં ફરી કોરોનાએ દેખાડો દીધો છે. આજે છેલ્લા 24 કલાકમાં 636 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 622 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3893 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ
અમદાવાદમાં 218, સુરતમાં 124, વડોદરામાં 64,ગાંધીનગરમાં 58, ભાવનગરમાં 30,જૂનાગઢમાં 1 કેસ, જામનગરમાં 9, રાજકોટમાં 18 , વલસાડમાં 16,કચ્છમાં 15,ભરૂચમાં 13 કેસ, નવસારીમાં 13,પાટણમાં 11,દ્વારકામાં 8 કેસ, અમરેલી,મોરબીમાં 7-7 કોરોનાના કેસ, આણંદ,સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ, બનાસકાંઠામાં 3,અરવલ્લીમાં 2,બોટાદમાં 1 કેસ, મહીસાગર,મહેસાણા,તાપીમાં 1-1 કેસ બહાર આવ્યા છે.
14 દિવસમાં 7162 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 24 જુનથી 7 જુલાઇ સુધીમાં 7162 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 577 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 98.80 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 68,073 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.18 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.80 ટકા પહોચ્યો છે.
4 વિસ્તારના 18 ઘરો અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા
અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હવે એકથી વધુ લોકો સંક્રમિત હોય તેમને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાશે તેવો નિર્ણય ગઈકાલ ગુરુવારથી લેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે એએમસી દ્વારા ફરી લોકોને ઘર પૂરતા સીમિત માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ટેસ્ટીંગ પ્રક્રિયા વધારવા પર ધ્યાન દેવાનું સૂચન કરવામા આવ્યું છે.દક્ષણિ પ્રશ્ચિમ ઝોનમાં 8 ઘરોના 30 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા છે જ્યારે પ્રશ્ચિમ ઝોનના 10 ઘરોમાં 40 વધુ લોકોને ઘરબંદી બનાવવામાં આવ્યા છે.