CAG દ્વારા ગુજરાતમાં આયુષ્ય વિભાગની ખરાબ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. રિપોર્ટમાં કેગે આયુષ્ય વિભાગ તરફથી રિસર્ચમાં ઘટાડો, ફાળવણી કરાયેલ રકમ ખર્ચ ન કરી શકવું, 2015માં મંજૂર થયેલ પ્રોડક્ટસને પુરુ ન કરી શકવું, આયુષ દવાઓની ખરાબ ક્વોલિટી અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન તરફથી ચેકિંગ ન થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો.
ઓડિટમાં માનસિક આરોગ્ય સાથે જોડાયેલી સેવાઓની યોજના ઓછી અને મેંટલ હેલ્થકેર એક્ટ, 2017ના જોગવાઇ મજુબ કામ કરવાની વાત પણ કરવામાં આવી છે. તે સિવાય હોસ્પિટલોના ચેકિંગમાં માનસિક બિમારીથી પરેશાન લોકો માટે સાયકિએટ્રિક વોર્ડ અને દવાઓના સ્ટોકમાં પણ ઘટાડાની વાત કરવામાં આવી છે.
8 જિલ્લાના 324 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 125માં ડોકટરની નિમણૂંક નહીં
CAGના ઓડિટમાં સામે આવ્યું છે કે ગુજરાતના જે આઠ જિલ્લામાં તપાસ કરાઇ, તેમાં 324 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 125માં આયુષ ડૉકટરની નિમણૂંક જ નથી થઇ. એટલે કે 39 ટકા આરોગ્ય કેન્દ્ર આયુષ ડોકટર વગર જ ચાલી રહ્યાં હતા. તે સિવાય આ કેન્દ્રો પર આયુષ દવા પણ પહોંચાડવામાં આવતી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવી વ્યવસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ્યને મુખ્યધારામાં લાવવાની યોજનાને જ દર્શાવતા રહે છે.
રાજ્યમાં સ્કૂલ હેલ્થ પોગ્રામ લાગુ જ નથી કરાયો
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે આયુષ સેવાના પ્રમુખ કાર્યક્રમોમાંથી એક-સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ (HSP), જેના હેઠળ આયુષ વિભાગને સ્કૂલ જતા બાળકોના આરોગ્યની જરૂરિયાત પર ધ્યાન આપવાનું હોય છે, તેને રાજ્યમાં લાગુ જ કરવામાં આવ્યું નથી.
કેન્દ્રની ગ્રાન્ટનો પૂર્ણ ઉપયોગ નથી કરાયો
કેન્દ્ર સરકારે રાજ્યની આયુષ સોસાયટી માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની પણ ફાળવણી કરી હતી. પરંતુ ફેબ્રુઆરી 2019 સુધીમાં તેમાં માત્ર 13 લાખ રૂપિયા જ ખર્ચ કરવામાં આવ્યા છે, તે પણ માત્ર સ્કૂલની આરોગ્ય બુકલેટ છપાવવા માટે. એટલે કે ફંડ મળ્યું હોવા છતાં રાજ્યમાં આયુષ્યની યોજના સંપૂર્ણ રીતે સાચી રીતે લાગુ કરવામાં આવી નથી.
આયુષ કાર્યક્રમ નહીં લાગુ કરવા પાછળ રાજ્ય સરકારે બતાવ્યું કારણ
જો કે ગુજરાત સરકારે જૂન 2020માં આયુષ કાર્યક્રમોને લાગુ ન કરવા પાછળ શિક્ષણ વિભાગ સાથે સહયોગ ન હોવા અંગેનું કારણ બતાવ્યું હતું. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે આયુષ યોજનાઓને લાગુ કરવા માટે શિક્ષણ વિભાગના સહયોગથી આગળ ગતિવિધિઓ તૈયાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે, જેથી જરૂરી પરિણામ મેળવી શકાય.