ભાજપ સરકાર એક તરફ ખેતી, પશુપાલકને પ્રોત્સાહન આપવાની ગુલાબી ગુલાબી વાતો કરી રહી છે, હરિયાળી ક્રાંતી અને શ્વેતક્રાંતીના સપના જોઈ રહી છે અને બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે કરાર કરીને દૂધના પાવડર સહિતની ડેરી પ્રોડક્ટ આયાત કરવા અંગે કરારો કરવાની તૈયારી કરી રહી છે ત્યારે બીજી તરફ પશુપાલન ઉપર જ જીવતા કરોડો પરિવારોનું શું? એક તરફ ગૌચરની જમીનો ભૂમાફિયાોને પધરાવી વિકાસની વાતો થઈ રહી છે બીજી તરફ વિદેશથી ડેરી પ્રોડક્ટની આયાત? આ અંગે ભાવનગરની બહેનોએ એક અનોખો વિરોધ શરૂ કર્યો છે જેમાં દૂધમંડળીની બહેનોએ સરકારને 5000 પોસ્ટકાર્ડ લખીને મોકલ્યા છે.
દૂધમંડળીની બહેનોએ સરકારને 5000 પોસ્ટકાર્ડ લખ્યા
શ્વેતક્રાંતી ની ગુલાબી ગુલાબી વાતોનું કાળુ સત્ય
સર્વોત્તમ ડેરી ખાતેથી દરરોજનું 3 લાખ લીટર દૂધ અમુલ મોકલાય
કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે કરાર કરી ને ત્યાંથી દૂધ નો પાવડર અને અન્ય ડેરી ઉત્પાદનો આયત કરવા ની દિશામાં હિલચાલ શરુ કરી રહી છે તેની સામે સ્થાનિક કક્ષાની ડેરીઓ અને ખાસ કરીને મહિલા ઓ સંચાલીત દૂધ મંડળી દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલુંજ નહીં ભાવનગર માંથી 5000 જેટલા પોસ્ટકાર્ડ આ મામલે વડાપ્રધાન ને લખવામાં આવ્યા છે અને આ કરાર ન કરવા માટે માંગ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાની વિવિધ મંડળીઓ ખાતે બહેનો સાંજના સમયે એકઠા થઈને વડાપ્રધાન ને પાત્ર લખ્યો હતો. જિલ્લામાંથી ખેતીવાડી અને પશુપાલન નો ગૃહઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ છે ત્યારે સરકરે જો આ કરાર કરશે તો પશુપાલન કરનારાઓ પણ બેકાર બની જશે બીજી બાજુ બહેનોનું કહેવું છે કે, હાલના દેશના વડાપ્રધાન અને ભૂતકાળમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભૂતકાળમાં બહેનોને કહ્યુ હતુ કે, બહેનો જયારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તમારો ભાઈ ગાંધીનગર માં બેઠો છે અને એક પત્ર લખશો એટલે તે દોડી આવશે. ત્યારે બહેનો હવે કહે છે કે, ભાઈ દિલ્હી માં બેઠા છે. અને ઘર આંગણાનો આ ડેરી ઉદ્યોગ નાશ પામશે તો તમારી બહેનોની તમને એટલી જ વિનંતી કે મદદ કરશો ભાઈ.
શ્વેતક્રાંતીની ખાલી વાતો જ?
આમતો દૂધ ના ક્ષેત્રે ગુજરાતમાં શ્વેતક્રાંતિ થઈ હોવાનું આખા દેશમાં કહેવાય છે અને દૂધ ઉત્પાદન થી લઇ ને ડેરી પ્રોડક્ટ્સ માં પણ ગુજરાત નું નામ આગળ છે ત્યારે ગુજરાતના જ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે કરાર કરી ને ત્યાંથી દૂધ નો પાવડર અને અન્ય ડેરી ઉત્પાદનો આયત કરવા ની પેરવી માં છે ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માં રોષ જાગ્યો છે.
સર્વોત્તમ ડેરી ખાતેથી દરરોજનું 3 લાખ લીટર દૂધ અમુલ મોકલાય છે
ભાવનગર માં સિહોર ખાતે સર્વોત્તમ દૂધ ડેરી આવેલી છે જ્યાં જિલ્લામાંથી દરરોજ 3 લાખ લીટર દૂધ આવે છે અને તેને અમુલ ના માધ્યમ થી પેક કરી ને વેચાણ કરવામાં આવે છે આ સર્વોત્તમ ડેરી સાથે 600 થી વધુ મંડળીઓ જોડાયેલી છે અને તે મંડળી માંથી મોટાભાગ ની મંડળી બહેનો ચલાવે છે સરકારના આ નિર્ણય થી બહેનો માં રોષ જાગ્યો છે અને આ બહેનોએ એ 5000 થી વધુ પોસ્ટકર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખી ને આ કરાર માં સહી ના કરવા જણાવ્યું છે.
દૂધનો પાવડર અને ડેરી પ્રોડક્ટની આયાત દેશમાં સ્થાનિક ડેરી ઉદ્યોગનો મૃત્યુઘંટ વગાડશે
આ બહેનો નો આક્રોશ છે કે જો દૂધ નો પાવડર લાવશો તો અમારા અહીં ના માલઢોર નું સુ થશે અમારે ત્યાં ઉત્પાદન થતા દૂધ નું શું થશે અને સ્થાનિક કક્ષાએ ડેરી ઉદ્યોગ નો મૃત્યુ ઘંટ વાગી જશે તેમ પણ આ પત્રમાં બહેનોએ લખીને વડાપ્રધાન ને રવાના કર્યા છે
ભાવનગરની સ્થાનિક કણકોટ સહકારી દૂધ મંડળીના આગેવાન ભાવનાબહેનનું કહેવું છે કે, જો ડેરીમાંથી પૈસા આવે છે એમાંથી અમારૂ ઘર ચાલે છે. જો દૂધનો પાવડને ડેરી આઈટમ વિદેશથી આયાત થશે તો અમારા પશુઓનું શું? ગાય-ભેંસનું શું? અમે એટલે જ આ વિરોધ કરી રહ્યા છીએ કે, વિદેશથી દૂધ પાવડર કે ડેરી પ્રોડક્ટ મંગાવવાની જગ્યાએ અમારી પાસેથી જ ખરીદોને. પશુપાલન અને તેને પ્રોત્સાહન આપો.
ભાવનગરમાં જ સ્થાનિક દૂદ વિતરણ કરનાર મમતા બેન કહે છે કે, અમારે તો ઘર ચલાવવું કેમ? અમારા ઢોર ઢાંખરનું શું? ખેતી અને પશુપાલન એકબીજાનો પર્યાય છે. ત્યારે એમ થાય કે, હવે ખરેખર સરકારે જે વચન આપ્યુ હતુ તે નિભાવે તો સારૂ.