બનાસકાંઠામાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બનાસકાંઠામાં એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાનું બળજબરીથી અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં તેને ગોંધી રાખવામાં આવી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું.
સગીરા બાજુના ખેતરમાં છાશ લેવા ગઈ હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ થતા તે પાંચ દિવસથી ઘરે પરત આવી નહોતી. જેના પગલે તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. બાદમાં આ આરોપીઓ સગીરાને ડીસા હાઈવે પર ઉતારીને ફરાર થયા હતા.
સગીરા જ્યારે ઘરે પહોંચી તો સઘળી વાત પોતાના પરિવારજનને કરી. ઘટના બાદ પરિવારજનોએ પોલીસનો સહારો લીધો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.