કેન્સર ક્ષેત્રે શોધ કરતી દવા કંપનીઓ અને કેન્સરને લઈને રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને GTUએ કેન્સરના સેલ ઉપર સંશોધન શરુ કર્યું છે
કેન્સરના ઉપચારમાં GTUનું શોધ-સંશોધન
નવી પદ્ધતિથી કરાઈ રહ્યું છે દવાનું સંશોધન
સંશોધનમાં સફળતા મળવાની ઉજળી શક્યતા
કેન્સરને ખતમ કરવાની દિશામાં GTUએ કેટલાક પ્રયાસો હાથ ધર્યા છે. આપણે ત્યાં કેન્સર એ સૌથી મોટી બિમારી ગણાય છે. કારણ કે, વ્યસનનું ચલણ આપણે ત્યાં સૌથી વધુ છે.કેન્સરની આજ સુધી કોઈ દવા નથી શોધાઈ. પરંતુ તેને લઈને સંશોધનો સતત ચાલતા રહે છે. ત્યારે કેન્સર ક્ષેત્રે શોધ કરતી દવા કંપનીઓ અને કેન્સરને લઈને રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને GTUએ કેન્સરના સેલ ઉપર સંશોધન શરુ કર્યું છે અને તેમાં જો સફળતા મળશે તો આવનાર સમયમાં કેન્સરની દવાઓ શોધવી ખુબજ સહેલી બની રહેશે. ત્યારે શું છે આ કેન્સરના સેલ.અને કેવી રીતે થઈ રહ્યું છે તેના પર સંશોધન તેની જાણકારી આપીએ.
કેવી રીતે કરાઈ રહ્યું છે સંશોધન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTU દ્વારા હંમેશા અવનવા સંશોધનો કરવામાં આવે છે.. GTUના સંશોધનના પ્રયાસોને ધ્યાને રાખી રાજય સરકાર દ્વારા ફંડ આપી અટલ ઈનક્યુબીશન સેન્ટર પણ બનાવી આપવામાં આવ્યુ છે. હવે આ સેન્ટરમાં કેન્સરના સેલ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે..અત્યાર સુધી દવા બનાવતી કંપની અથવા વૈજ્ઞાનિકો કેન્સરની દવાનો ટ્રાયલ કરવા માટે ઉંદર કે કોઈ અન્ય પ્રાણીમાં કેન્સરનો સેલ મુકતા હતા.તે સેલ એક્ટીવ થઈ પ્રાણીને કેન્સર થાય અને ત્યાર બાદ તેની દવા આપી તેને ઈમ્પ્લીમેન્ટ કરતા હતા..પરંતુ હવે GTUમાં વિકસી રહેલા કેન્સરના સેલ જીવીત પ્રાણી પર નહીં પરંતુ કાચની સીધી ટ્યુબમાં દવા મુકી તેના પર પ્રયોગ કેવી રીતે કરી શકાય તેનું સંશોધન કરી રહ્યા છે. અને તેમાં GTUસફળતાની દિશા આગળ વધી રહી છે.
નવી પ્રયોગાત્મક પદ્ધતિ
આપણે જાણીએ છીએ કે, કોઈપણ દર્દની દવા શોધવી સહેલી નથી હોતી.પરંતુ પ્રયાસો કરવા પર એક દિવસ સફળતા અચૂક મળે છે.GTUના આ પ્રયાસોથી કેવા પ્રકારનો ફાયદો થશે તે અંગે વાત કરવામાં કરીએ તો અત્યાર સુધી કેન્સર પર સંશોધન માટે જીવીત પ્રાણી પર પ્રયોગો થતા હતા.અને તેમાં અનેક પ્રાણીઓના જીવ જોખમાતા હતા.એટલુ જ નહીં તે પ્રયોગ કરવામાં એક થી 2 વર્ષનો સમય લાગતો હતો. પરંતુ GTU દ્વારા જે સંશોધન થઈ રહ્યું છે તેમાં એક અઠવાડિયામાં જ દવા અસરકરાક છે કે કેમ તેનું પરિણામ મળી શકે તેવી પધ્ધતિ વિકસાવાઈ રહી છે. મહત્વનું છે કે GTUને આ સફળતા મળશે તો વિશ્વભરમાં આ પધ્ધતિ દ્વારા અવનવા સંશોધનો થઈ શકશે અને GTUની આ મહત્વની કામગીરી અનેક સંશોધન કર્તાઓનો સમય બચાવશે.
અધ્યતન સંસાધનોથી પરિક્ષણ
મહત્વનું છે કે, ગુજરાતનું સંશોધન ક્ષેત્ર એટલે GTU કહી શકાય.કારણ કે, કોરોના બાદ GTUએ અનેક સંશોધન કર્યા છે જેમાં કોરોના ટેસ્ટથી લઈ સેનેટરાઈઝર ઓરિજનલ છે કે ડુપ્લીકેટ તેની ઓળખ કરતુ મશીન, કોરોનામાં વપરાયેલી દવાઓ સહતિના અનેક સંશોધનો કર્યા છે..તેમજ આ સંશોધનોની સફળતા બાદ હવે GTU કેન્સરની દવામાં ઉપયોગી થતા કેન્સરના સેલને લઈને સંશોધન કરી રહ્યું છે..અને જો તેમાં GTUને સફળતા મળતા મળી તો તેના અનેક ફાયદા ગુજરાતને થશે.