ગાંધીનગરના શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. 7 વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં ગેરહાજર બતાવ્યો છે. ધોરણ -12 સામાન્ય પ્રવાહનું ગુજરાત બોર્ડનું પરિણામ સોમવારે જાહેર થયું છે. ભાર્ગવ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ તમામ વિષયની પરીક્ષા આપી હતી. આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશપત્રમાં નોંધ પણ કરાઈ છે.
પ્રવેશપત્ર પર પરીક્ષાખંડ સુપરવાઈઝરની સહી સાબિતી બતાવે છે
વિદ્યાર્થીએ તમામ વિષયની પરીક્ષા ભાર્ગવ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ આપી હતી. આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશ પત્રમાં નોંધ પણ કરવામાં આવી છે. પરીક્ષા ખંડ સુપરવાઈઝર દ્વારા પરીક્ષા પ્રવેશ પત્ર સહી સાબિતી બતાવે છે. પરિણામમાં ભાર્ગવને આંકડાશાસ્ત્ર અને નામાના મૂળતત્વોમાં ગેરહાજર બતાવવામાં આવ્યો.
અમદાવાદમાં શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીએ 7 વિષયની પરીક્ષા આપી છતા તેને 2 વિષયમાં ગેરહાજર બતાવ્યો છે. સોમવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. ત્યારે ભાર્ગવ ત્રિવેદીના પરિણામમાં તેને બે વિષયમાં ગેરહાજર બતાવ્યો. જને લઇ વિદ્યાર્થી ચિંતમાં આવી ગયો.
ભાર્ગવ ત્રિવેદી નામના વિદ્યાર્થીએ તમામ વિષયની પરીક્ષા આપી હતી. અને આ અંગે ભાર્ગવના પરીક્ષાના પ્રવેશપત્રમાં નોંધ પણ કરાઈ છે. અને પ્રવેશપત્ર પર પરીક્ષાખંડ સુપરવાઈઝરની સહી એની સાબિતી બતાવે છે. જો કે તંત્રની બેદરકારીના કારણે પરિણામમાં ભાર્ગવને 2 વિષયની પરીક્ષામાં ગેરહાજર બતાવાયો છે. વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર, નામાના મૂળતત્વોમાં ગેરહાજર બતાવાયો. ત્યારે સવાલ એ છે કે શિક્ષમ બોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીને કેમ ભોગવવું પડી રહ્યું છે. તંત્રની બેદરકારની કારણે વિદ્યાર્થીને નુકસાન કેમ?. શું વિદ્યાર્થીની પરીક્ષા પેપર જ તપાસાયું નથી?. પરીક્ષા આપી છતા ગેરહાજર કેમ ગણાવ્યો?. વિદ્યાર્થી હવે આગળ કેવી રીતે એડમિશન લેશે?. તમારી ભૂલના કારણે વિદ્યાર્થીએ હવે ધક્કા ખાવાના?. શિક્ષણ બોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીનો સમય બગડશે તેનું શું?.
સળગતા સવાલ
તંત્રની બેદરકારની કારણે વિદ્યાર્થીને નુકસાન કેમ?
શું વિદ્યાર્થીની પરીક્ષા પેપર જ તપાસાયું નથી?
પરીક્ષા આપી છતા ગેરહાજર કેમ ગણાવ્યો?
શું વિદ્યાર્થીનું પરીક્ષા પેપર જ ગુમ કરી દેવાયું છે?
વિદ્યાર્થી હવે આગળ કેવી રીતે એડમિશન લેશે?
તમારી ભૂલના કારણે વિદ્યાર્થીએ હવે ધક્કા ખાવાના?
શિક્ષણ વિભાગની ભૂલના કારણે વિદ્યાર્થીનો સમય બગડે છે તેનું શું?