પરાગ કંસારા ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યાં હતા.
રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક હાસ્ય કલાકારે દુનિયાને કહ્યું અલવિદા
દિગ્ગજ કોમેડિયન પરાગ કંસારાનુ નિધન
જાણીતા કોમેડિયન સુનીલ પાલે વીડિયો શેર કરી દુ:ખ દર્શાાવ્યું
રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક હાસ્ય કલાકારનુ નિધન
ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. બોલીવુડના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક હાસ્ય કલાકારે દુનિયાને અલવિદા કહી દીધુ છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના સ્પર્ધક પરાગ કંસારાનુ નિધન થયુ છે. તેના મિત્ર અને જાણીતા કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરી આ જાણકારી આપી છે.
પરાગને યાદ કરીને ભાવુક થયા સુનીલ પાલ
કોમેડિયનના નિધન પર હાસ્ય કલાકાર સુનીલ પાલે શોક દર્શાવ્યો છે. સુનીલ પાલે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક દેખાઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, મિત્રો, નમસ્કાર હૃદયને હચમચાવી નાખે તેવી ખબર સામે આવી છે કોમેડી ક્ષેત્રથી. અમારા લાફ્ટ ચેલેન્જના સાથી પરાગ કંસારા હવે આ દુનિયામાં રહ્યાં નથી. તેઓ દરેક વાતને ઉલ્ટા સોચો કહીને આપણને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં રહ્યાં નથી. ખબર નથી કે કોમેડીની દુનિયાને કોની નજર લાગી ગઇ છે. હજી થોડા દિવસ પહેલા આપણે રાજુ ભાઈને ગુમાવી દીધા. એક પછી એક આપણે કોમેડી પિલ્લરને ગુમાવી રહ્યાં છે. સુનીલ પાલે દીપેશ ભાનને પણ આ વીડિયોમાં યાદ કર્યા.
પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ લાંબા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતાા. પરાગ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સ્પર્ધક તરીકે દેખાતા હતા. આ શો ભારતીય ટેલીવિજનનો પહેલો એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટો મંચ આપવાનુ કામ કર્યુ હતુ. આ શો નવા-નવા કોમેડિયન્સને પોતાની ઓળખ બનાવવાની તક પણ આપી હતી. પરાગને આ શો દ્વારા ઘર-ઘરમાં ઓળખ મળી હતી.