GPSC પરીક્ષા પરીક્ષાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. કોલ લેટરમાં શાળાનું એડ્રેસ ખોટું બતાવવામાં આવ્યું હતું. એડ્રેસ ખોટું બતાવતા પરીક્ષાર્થીઓ પરીક્ષામાં મોડા પહોંચ્યા હતા. જોકે, માત્ર 5 મિનિટ મોડા પહોંચેલા આ પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, GPSCના કોલ લેટરમાં ડી-કેબિન સાબરમતી બતાવે છે. જ્યારે શાળા ચાંદખેડાના ખોડિયારનગરમાં હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં શાળા હોવાથી આજુ બાજુના લોકોને પણ જાણ નથી. આવી આંટીઘૂંટીઓની વચ્ચે આવેલી શાળાની પસંદગી કરવામાં આવી હતી.
જેને લઈને 15 પરીક્ષાર્થીઓને GPSCએ પરીક્ષાથી વંચિત રહ્યા છે. ત્યારે GPSC સામે અનેક સવાલો ઊભા થયા છે. તો આ મામલે GSPCની ચેરમેન દિનેશ દાસાનું કહેવુ છે કે, ઉમેદવારોને 15 દિવસ અગાઉ સરનામાની જાણ હતી. 11 વાગ્યે પરીક્ષા હોય તો 10.30 વાગ્યે પ્રવેશ મેળવવો જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષાના શરૂ થયાના 15 મિનિટ પછી ઉમેદવારો પહોચ્યા હતા. તેમ છતા ઉમેદવારોને પ્રવેશ ન અપાયો હોય તો તપાસ કરવામાં આવશે. કારણ કે, પરીક્ષાનું વ્યવસ્થાપન કલેક્ટર કે શિક્ષણ અધિકારી કરે છે. જેથી ઉમેદવારોના આક્ષેપો પર જરૂર તપાસ કરવામાં આવશે. જો પરીક્ષા સેન્ટરના સરનામામાં ભૂલ હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે.
સળગતા સવાલ
GPSCની પરીક્ષાની હોલ ટિકિટમાં ખોટુ સરનામું કેમ ?
પરીક્ષાર્થીઓ ભ્રમિત થાય તેવુ સરનામું કોણે લખ્યું ?
ગલીઓની આંટીઘૂંટીઓમાં આવેલી શાળા કેમ પસંદ કરી ?
5 મિનિટ મોડા પહોંચેલા પરીક્ષાર્થીઓને બેસવા કેમ ના દીધા ?
આ 15 પરીક્ષાર્થીઓને થયેલા અન્યાય પાછળ જવાબદાર કોણ ?
શું GPSC આ 15 પરીક્ષાર્થીઓને ન્યાય અપાવશે ?
શું સરકાર જવાબદારો સામે પગલા ભરશે ?
કેમ વારંવાર સરકારી ભરતીમાં થાય છે છબરડા ?
છબરડાને લીધે કારકિર્દી દાવ પર લાગે તો જવાબદાર કોણ ?