દુનિયામાં ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોનને ભારત આવતો અટકાવવા રવિવારે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઈમરજન્સી બેઠક મળી.
કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઈમરજન્સી બેઠક
વિદેશમાંથી આવેલા લોકોની ખાસ તપાસ કરાશે
જીનોમ ચકાસણીને વધારે ઝડપી બનાવાશે
કોરોના વાયરસના નવા વેરિન્યટ ઓમિક્રોનને પગલે પ્રધાનમંત્રી મોદીની સમીક્ષા બેઠક બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ એક્શનમાં આવ્યું છે. કેન્દ્રયી ગૃહ સચિવની અધ્યક્ષતામાં રવિવારે એક ઈમરજન્સી બેઠક મળી હતી જેમાં ઓમિક્રોનની વૈશ્વિક સ્થિતિની ચર્ચા કરવામાં આવી તથા બચાવના ઉપાયોને વધારે મજબૂત કરવાના મુદ્દે ચર્ચા થઈ. બેઠક બાદ ગૃહમંત્રાલયના અધિકારીએ એવું જણાવ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, ખાસ કરીને જોખમ શ્રેણી તરીકે ઓળખાયેલા દેશોમાંથી આવનાર લોકોની તપાસ અને દેખરેખ પર એસઓપીની સમીક્ષા કરાશે. ગૃહ મંત્રાલયે એવો પણ નિર્ણય કર્યો છે કે કોરોના નવા વેરિયન્ટ માટે જીનોમ ચકાસણીને વધારે મજબૂત બનાવાશે.
Govt to review SOP on testing & surveillance of incoming international passengers, especially for those countries identified ‘at risk’ category: Union Home Ministry pic.twitter.com/X5mHStBXcG
ગૃહ મંત્રાલયની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો
- આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ખાસ ચકાસણી કરાશે
- જોખમી દેશોમાંથી આવનાર લોકોની એસઓપીની સમીક્ષા
- જીનોમ ચકાસણીને વધારે મજબૂત બનાવાશે
- ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાના નિર્ણયની સમીક્ષા
- એરપોર્ટ અને પોર્ટના સ્વાસ્થ્ય અધિકારીઓને વધારે સંવેદનશીલ બનાવાશે
Decision on effective date of resumption of scheduled commercial international passengers service, to be reviewed, as per evolving global scenario: Union Home Ministers following emergency meeting chaired by the home secretary on new COVID Variant of Concern ‘Omicron’
15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની સરકારની જાહેરાતની સમીક્ષા થશે
15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની સરકારની જાહેરાતની પણ સમીક્ષા કરવાનું ગૃહમંત્રાલયે જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે વૈશ્વિક હાલતની જોતા ઈન્ટરનેશનલ ફ્લાઈટ ફરી વાર શરુ કરવા માટે નક્કી તારીખની ફરી વાર સમીક્ષા કરવામાં આવશે. તે ઉપરાંત તપાસ પ્રોટોકોલની કડક દેખરેખ માટે એરપોર્ટ અને પોર્ટના સ્વાસ્થ્ય અધિકારીઓને સંવેદનશીલ બનાવાશે.