જો તમે 40ની ઉંમર સુધી પહોંચી ચૂક્યા છો અને વૃદ્ધાવસ્થાને લઈને ચિંતિત છો તો અટલ પેન્શન યોજના તમારો સહારો બની શકે છે. આ સ્કીમમાં 3.30 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે.
વૃદ્ધાવસ્થા માટે આ સ્કીમમાં કરો રોકાણ
અટલ પેન્શન યોજના કરશે તમારી મદદ
સ્કીમમાં 3.30 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે
દર મહિને મળશે 5000 રૂપિયાનું પેન્શન
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના આધારે 25 ઓગસ્ટ સુધી દેશમાં અટલ પેન્શન યોજના સાથે જોડાનારા લોકોની સંખ્યા 3.30 કરોડને પાર થઈ છે. આંકડાના આધારે ચાલુ વર્ષમાં આ યોજના સાથે 28 લાખ લોકો જોડાયા છે.
મહિલાઓને પસંદ આવી રહી છે આ સ્કીમ
અટલ પેન્શન યોજનામાં સૌથી વધારે 78 ટકા લોકને 1000 રૂપિયાની પેન્શન સ્કીમ પસંદ આવી છે. જ્યારે 5000 રૂપિયા દર મહિને પેન્શન સ્કીમને પસંદ કરનારા લોકોની સંખ્યા 14 ટકાની રહી છે. સ્કીમ લેનારામાં 44 ટકા મહિલાઓ છે. યુવાઓમાં આ સ્કીમ સૌથી વધુ લોકપ્રિય છે. 44 ટકા લોકોની ઉંમર 18-25 વર્ષની વચ્ચે છે.
મળે છે દર મહિને ખાસ રકમ
કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનામાં વૃદ્ધાવસ્થામાં દર મહિને એક નક્કી રકમ પેન્શની ગેરેંટી મળે છે. મોદી સરકારે અટલ પેન્શન યોજનાની મે 2015માં શરૂઆત કરી હતી. 1-5 હજાર રૂપિયા પેન્શન દર મહિને મેળવવા માટે સબ્સ્ક્રાઈબરે 42-210 રૂપિયા દર મહિને ચૂકવવાના રહે છે.
જાણો શું છે અટલ પેન્શન યોજના
આ યોજનાના આધારે રિટાયરમેન્ટ બાદના ખર્ચને માટે નક્કી રકમ મળે છે. યોજનાના આધારે પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવાનું રહે છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે છે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. 60 વર્ષની ઉંમર સુધી દર મહિને એક નક્કી રકમ રોકાણ કરવાની રહે છે. તમારી ઉંમર 60 વર્ષની થતા દર મહિને એક નક્કી રકમ પેન્શનના રૂપમાં તમને મળશે.
ક્યારે રોકાણ કરવાથી મળશે કેટલો લાભ
યોજનાના આધારે ન્યૂનતમ 1000 રૂપિયા અને વધારેમાં વધારે 5000 રૂપિયાનું પેન્શન મળી શકે છે. જો કોઈ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજના સાથે જોડાય છે તો તેને 60 વર્ષની ઉંમરે 5000 રૂપિયાનું પેન્શન મેળવવું છે તો તેને દર મહિને 210 રૂપિયા રોકાણ કરવું પડશે.
શું છે સ્કીમની ખાસિયત
આ સ્કીમની ખાસિયત છે તે જો રોકાણકારનું સ્કીમના સમયે મોત થાય છે તો સહભાગીને ફાયદો મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. સહયોગીના મૃત્યુ બાદ જમા રાશિ નોમિનીને આપવામાં આવે છે. તેનાથી સ્પષ્ટ થાય છે તે રોકાણકારોના રૂપિયા ડૂબશે નહીં. જો રોકાણકારો 60 વર્ષની ઉંમર પહેલાથી પોતાની રાશિને કાઢવા ઈચ્છે છે તો કેટલીક સ્થિતિમાં તે શક્ય છે.
આ રીતે ખોલી શકાય છે એકાઉન્ટ
અટલ પેન્શન યોજનામાં એકાઉન્ટ ખોલવા માટે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. પોતાના બેંક બ્રાન્ચમાં જઈને કે પછી નેટ બેંકિંગની મદદથી ખાતું ખોલાવીને પણ તમે આ સ્કીમમાં જોડાઈ શકો છો. રૂપિયા જમા કરવા માટે માસિક તિમાહી અને છ મહિનાની સુવિધા મળે છે. આ યોજનાને માટે દર મહિને બેંકના ખાતાથી નક્કી રકમ જાતે જ કપાઈ જશે. અટલ પેન્શન યોજનામાં એકાઉન્ટ ખોલીને વૃદ્ધાવસ્થામાં લાભ લઈ શકાય છે. આ સાથે આ સ્કીમની મદદથી તમે 1,50,000 રૂપિયા સુધીની ટેક્સની બચત પણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવાથી ટેક્સમાં રાહત મળે છે. આ સિવાય http://www.dif.mp.gov.in/FI_Plan_MP/APY/APYSchemeHindi.pdf પર ક્લિક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો.