આરબીઆઈ દ્વારા ત્રણ વખતથી રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી, વિવિધ બેંકોએ FD અને RDના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
RBI દ્વારા ત્રણ વખતથી રેપો રેટમાં વધારો
બેંકોએ FD અને RDના વ્યાજદરમાં કરો વધારો
હવે કેન્દ્ર સરકાર કરી શકે છે મોટું એલાન
જો તમે નાની બચત યોજનાઓ PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, NPS અથવા કિસાન વિકાસ પત્ર વગેરેમાં રોકાણ કરો છો તો આ ખબર તમને ખુશ કરી દેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં SSY અને PPFના વ્યાજ દરમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. તેનો સીધો ફાયદો સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારા રોકાણકારોને થશે.
રેપો રેટમાં 1.40 ટકાનો વધારો
મોંઘવારી રેકોર્ડ સ્તરે જઈ રહી છે, બેંકોના વ્યાજ દરોમાં વધારાની વચ્ચે સરકારી બચત યોજનાઓ પર પહેલા કરતા વધુ વ્યાજ મળવાની આશા છે. સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
RBI દ્વારા ત્રણ વખત રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી, વિવિધ બેંકોએ FD અને RDના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
30 સપ્ટેમ્બરે થશે વ્યાજ દરોની સમીક્ષા
આગામી 30 સપ્ટેમ્બરે સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરોની સમીક્ષા થવાની છે. આ સમીક્ષા ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક સમય ગાળા માટે થવાની છે. આ વખતે સરકાર તરફથી બચત યોજનાઓ પર વ્યાજ દર વધવાની આશા છે. લાંબા સમયથી નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેમ થશે વ્યાજ દરમાં ફેરફાર?
સરકારની નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજને વધારવાના પક્ષમાં બેંકો અને આરબીઆઈ બંને છે. આરબીઆઈએ મે મહિનાથી લઈને અત્યાર સુધી ત્રણ વખત રેપો રેટ વધાર્યો છે અને હાલમાં તે 5.4% પર ચાલી રહ્યો છે.
આગામી સમયમાં તેમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થવાની આશા છે. પરંતુ સરકાર દ્વારા બચત યોજનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં સંપૂર્ણ સંભાવના છે કે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના પરના મળતુ રિટર્ન પણ વધારવામાં આવે.
દર ત્રણ મહિને રિવાઈઝ થાય છે વ્યાજદર
સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા દરમિયાન, વ્યાજદર વધારવો, ઘટાડવો કે સ્થિર રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવે છે. આ વ્યાજ દરો નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.