ઝીંગા ઈન્ડીયાની સાથે મળીને તૈયાર કરવામાં આવેેલ આ મોબાઈલ ગેમ્સમાં આઝાદીના સંઘર્ષને જણાવવામાં આવ્યો છે. આ ગેમને આઝાદીના અમૃત મહોત્સવના સેલિબ્રેશન દરમ્યાન રજૂ કરવામાં આવી છે.
ભારત સરકારે લોન્ચ કરી મોબાઈલ ગેમ
મોબાઈલ ગેમ્સમાં આઝાદીના સંઘર્ષને જણાવવામાં આવ્યો
જાણો શું છે આ ગેમ્સની વિશેષતાઓ
આઝાદીના ગુમનામ વીરોની કહાની અને તેના સંઘર્ષને જણાવવામાં આવ્યો
આ ગેમ્સની શરૂઆતમાં જ આઝાદીના ગુમનામ વીરોની કહાની અને તેના સંઘર્ષને જણાવવામાં આવ્યો છે. આ મોબાઈલ ગેમ્સને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરની હાજરીમાં રજૂ કરવામાં આવી છે. આ એપને એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે જાહેર કરવામાં આવી છે. આ એપ હિન્દી અને અંગ્રેજી બંનેને સપોર્ટ કરે છે. સપ્ટેમ્બર 2022થી આ ગ્લોબલી રીતે તૈયાર થશે.
આ રમતની મદદથી શિક્ષિત કરવાના પ્રયાસનો ભાગ
બંને મોબાઈલ ગેમ્સના નામ આઝાદી ક્વેસ્ટ અને હીરોજ ઑફ ભારત મોબાઈલ ગેમ છે અને તેને જિંગા ઈન્ડિયાએ પ્રકાશન વિભાગ અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદની પાર્ટનરશિપ હેઠળ તૈયાર કરી છે. મોબાઈલ એપ લોન્ચિંગ દરમ્યાન મંત્રી ઠાકુરે કહ્યું કે આ રમત ઑનલાઈન ગેમના વિશાળ માર્કેટને ટેપ કરવા અને આ રમતની મદદથી શિક્ષિત કરવાના પ્રયાસનો ભાગ છે. ભારત સરકારના અલગ-અલગ એકમો દેશના દરેક વિભાગથી ગુમનામ સ્વતંત્રતા સેનાનીઓની જાણકારી એકત્રિત કરી રહી છે.
45 કરોડ સુધી પહોંચી જશે ગેમર્સની સંખ્યા
તેમણે કહ્યું કે ઑનલાઈન ગેમના ક્ષેત્રએ વર્ષ 2021માં 28 ટકાના દરથી વિકાસ કર્યો અને વર્ષ 2023માં ઑનલાઈન ગેમ રમનારા લોકોની સંખ્યા 45 કરોડ સુધી પહોંચવાની આશા છે.
ગેમની પહેલી બે ગેમમાં આઝાદીની કહાની
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેક્રેટરી અપૂર્વ ચંદ્રએ જણાવ્યું કે આ ઑનલાઈન રમતનો વિકાસ કરવાનો વિચાર આ વર્ષે દુબઈ એકસ્પોની બહાર ઠાકુર અને જિંગા ઈન્ડીયાના પ્રતિનિધિઓની વચ્ચે બેઠક દરમ્યાન આવ્યું. મહત્વનું છે કે, આઝાદી ક્વેસ્ટ સીરીઝની પ્રારંભિક બે ગેમ ભારતની આઝાદીની કહાનીને દર્શાવે છે અને મહત્વના તબક્કાઓ અને નાયકોની જાણકારી રમત-રમતમાં સારી રીતે આપે છે. હીરોજ ઑફ ભારતને ભારતીય સ્વતંત્રતા સાથે જોડાયેલા જ્ઞાનની તપાસ કરવા માટે એક ક્વિઝ ગેમ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે.