રાજ્યના પૂર્વમંત્રી અને માલધારી સમાજના અગ્રણી રણછોડ રબારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં સરકારે હાલ પુરતો ઢોર નિયંત્રણ બિલ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે
માલધારી આગેવાન રણછોડ રબારીએ આપ્યું મોટું નિવેદન
માલધારી સમાજના વિરોધ સામે ઢોર નિયંત્રણ બીલ મોકુફ
કાયદા બન્યા બાદ રાજ્યમાં માલધારીઓએ કર્યો હતો વિરોધ
માલધારી આગેવાન રણછોડ રબારીએ આપ્યું નિવેદન
શહેરી વિસ્તારમાં રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે..ગાંધીનગરમાં માલધારીઓની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કાયદો મોકૂફ રાખવાની ખાતરી આપી હતી. મહત્વનું છે કે, આજે માલધારી સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી વચ્ચે બેઠકનું આયોજન થયુ હતું. જેમાં માલધારી સમાજના આગેવાન રણછોડ રબારીએ નિવેદન આપ્યું હતું કે, સરકારે હાલ પુરતો ઢોર નિયંત્રણ કાયગો મોકૂફ રાખ્યો છે.
માલધારી આગેવાનોની મુખ્યમંત્રી સાથે થઇ હતી મિટિંગ
માલધારી સમાજના લોકો દ્વારા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદા રદ કરવા માટે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં માલધારી સમાજના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ માલધારી આગેવાન રણછોડ રબારીએ આપ્યું નિવેદન આપ્યું હતું કે, આ કાયદો હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, માલધારીઓ દ્વારા કાયદા બન્યા બાદ રાજ્યભરમાં વિરોધ કર્યો હતો. અને આ અંગે રાજયભરમાં માલધારી સામજ દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ કાયદો પાછો ન ખેંચાઇ તો મહાપંચાયત બોલાવાની જાહેરાત કરી હતી
હાઈકોર્ટના નિર્દેશ આધારે કાયદો ઘડાયો હતો
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલા વિધાનસભાના સત્ર દરમિયાન રખડતા ઢોરના ત્રાસને લઈને હાઈકોર્ટના નિર્દેશ આધારે ગુજરાત સરકારે રખડતા ઢોર નિયંત્રણ ખરડો પસાર કર્યો હતો. જેને લઈને સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ છે. કારણ કે કાયદો રદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં માલધારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો અને દેખાવો કર્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવો મુશ્કેલ છે. કારણે વિધાનસભામાં પસાર થયેલુ વિધેયલ પાછુ ખેંચવુ હોય તો ફરી ગૃહમાં રજૂ કરવુ પડે જે હવે શક્ય નથી. કારણ કે રાજ્યમાં વહેલી ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે. જેથી પુનઃ સત્ર મળે તેવી શક્યતા પણ ઓછી છે.
બીજી તરફ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સરકારે આ કાયદો પરત ખેંચવો જ પડે કારણે કે પાછળ ચુંટણીઓ આવે છે. આ કાયદાથી માલધારી સમાજના લોકો રોષે ભરાયા છે. અને સરકાર આ નિર્ણય પાછ ન ખેંચે તો તેનું પરિણામ ચુંટણીમાં જોવા મળત