પીએમ કુસુમ યોજનાનાં નામ પર ઘણી ફેક વેબસાઇટ બની રહી છે જેને લઈને મંત્રાલયે જણાવ્યું છે કે આ બધી ફેક વેબસાઇટથી દૂર રહો અને કોઈપણ જાતનો નાણાંનો વ્યવહાર ન કરો.
પીએમ કુસુમ યોજના ખેડૂતો માટે સોલર પંપની સબસિડી પૂરી પાડે છે
લોકો ખોટી વેબસાઇટમાં નાણાં ન ગુમાવે એ માટે મંત્રાલયએ ચેતવ્યા
આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર 30-30 ટકા સબસિડી આપી રહી છે
સબસિડીના નામ પર છેતરપિંડી ?
નવીનીકરણ ઉર્જા મંત્રાલયએ પીએમ કુસુમ યોજનાના નામ પર હાલ ઘણી બધી ડુપ્લિકેટ વેબસાઇટ ચાલી રહી છે જેના કારણે તેણે જણાવ્યું છે કે વેરીફાઇડ ના હોય એવી લિન્ક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. MNRE એ પ્રધાન મંત્રી કિશાન યોજના (પીએમ-કુસુમ) કાર્યરત કરી છે. આ યોજનામાં સૌર પંપ લગાવ માટે અને કૃષિ કાર્યોના પંપ માટે સૌર ઉર્જા ઉત્પન કરવા માટે સબસિડી આપવામાં આવે છે. મંત્રાલયે પોતાના એક કથનમાં કહ્યું છે કે પીએમ કુસુમ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરવા માટે ઘણી ફેક વેબસાઇટ હોવાની જાણકારી આપી છે. આ ફેક વેબસાઇટ ઉપર લોકોને લાભ આપવાના નામ પર પૈસા એકઠા કરવામાં આવે છે.
મંત્રાલયે સૂચનો આપ્યા
મંત્રાલયે સામાન્ય માણસોને કહ્યું છે કે WhatsApp કે SMSમાં મોકલવામાં આવતી લિન્ક ઉપર ક્લિક કરતાં પહેલા ખાતરી કરવાનું સૂચન આપ્યું છે. MNRE એ સૂચન કર્યું હતું કે રજીસ્ટ્રેશનના નામે ચાર્જ વસૂલાત ન આપવા માટેની સલાહ આપી હતી. આ વિશેની માહિતી મળતા સબંધિત પક્ષો ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ફેક વેબસાઈટના ડોમેન
આ બધામાં ઘણી વેબસાઈટના ડોમેન નામ .org, .in, .com માં રજીસ્ટર છે જેવી કે www.kusumojanaonline.in.net, www.pmkisankusumyojana.co.in, www.onlinekusumojana.org.in અને આ મુજબની ઘણી અન્ય વેબસાઇટ પણ છે.
પૈસાની લેતી દેતી થાય છે ફેક વેબસાઇટમાં
પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે આવેદન કરવા વાળા બધા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે આવી ખોટી વેબસાઇટ ઉપર કોઈ પણ પ્રકારની પૈસાની લેતી દેતી ના કરે. પ્રધાનમંત્રી કુસુમ યોજના રાજ્ય સરકારના વિભાગો દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે પીએમ કુસુમ યોજનાની સાચી જાણકારી અને પ્રક્રિયા તેમની વેબસાઇટ https://pmkusum.mnre.gov.in પરથી જ મેળવવી. યોજનાની વધુ જાણકારી માટે મંત્રાલયની આધિકારિક વેબસાઇટ www.mnre.gov.in પર જાઓ અથવા ટોલ ફ્રી નંબર 1800-180-3333 ડાયલ કરો.
સોલર પંપ લગાવવાનો ફાયદો
પીએમ કુસુમ યોજનાની વેબસાઇટ મુજબ સૌર ઉર્જા વાપરવાથી ડીઝલનો ખર્ચો અને પ્રદૂષણથી મુક્તિ મળશે. સોલર પંપ લગાવવા માટે કેન્દ્ર તરફથી 30 ટકા અને રાજ્ય સરકાર તરફથી 30 ટકા સબસિડી મળશે. અને વધુમાં બેન્કો તરફથી 30 ટકા લોનની સગવડતા પણ મળે છે.
સોલર પંપ 25 વર્ષ સુધી કાર્યરત રહે છે અને મેન્ટેનસ પણ સરળ છે.