સીબીડીટીનાં અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું હતું કે, પાનની ઉપયોગિતા નિશ્ચિત તરીકે ખતમ નથી થઇ અને જો કે હાલનાં બજેટમાં ડેટાબેસ (પાન અને આધાર)ને એકબીજાની જગ્યાએ ઉપયોગ કરવા માટે એક જેવું બતાવવા પર એક અતિરિક્ત સુવિધા છે કે જે તેને જોડવા માટે સુનિશ્ચિત કરશે, જો કે હવે કાયદા અંતર્ગત અનિવાર્ય છે. તેઓએ કહ્યું હતું કે, 'આવા મામલાઓમાં જ્યાં આધારનો સંદર્ભ આપવામાં આવી રહેલ છે અને ત્યાં પાનનો ઉલ્લેખ નથી.
બજેટ 2019નાં પ્રસ્તાવોનાં અનુસાર, લોકો હવે 18 જરૂરી સેવાઓને માટે પાનકાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ કરી શકે છે. પરંતુ લેણદેણનાં સમય જો આપે ખોટો આધાર નંબર આપ્યો છે તો આપે 10 હજાર રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.
એક ખાનગી ન્યૂઝ ચેનલનાં જણાવ્યા અનુસાર, સંબંધિત જોગવાઇ અને સૂચના રજૂ કર્યા બાદ આ નિયમ એક સપ્ટેમ્બરથી લાગુ થઇ શકે છે. જો કે, આ આદેશ પહેલા સંબંધિત વ્યક્તિની વાત સાંભળવામાં આવશે. આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે, આયકર અધિનિયમની કલમ 272બીમાં પાનનાં ઉપયોગથી સંબંધિત ઉલ્લંઘનો પર દંડાત્મક જોગવાઇ છે.
અધિકારી સ્વતઃ ફાળવેલ કરી શકે છે પાનઃ
આ પહેલા સીબીડીટીનાં અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું હતું કે, પાનની ઉપયોગિતા નિશ્ચિત તરીકે ખતમ નથી થઇ અને જો કે હાલનાં બજેટમાં ડેટાબેસ (પાન અને આધાર)ને એકબીજાની જગ્યાએ ઉપયોગ કરવા માટે એક જેવું બતાવવા પર એક અતિરિક્ત સુવિધા છે કે જે તેને જોડવા માટે સુનિશ્ચિત કરશે, જો કે હવે કાયદા અંતર્ગત અનિવાર્ય છે. તેઓએ કહ્યું હતું કે, 'આવા મામલાઓમાં જ્યાં આધારનો સંદર્ભ આપવામાં આવી રહેલ છે અને ત્યાં પાનનો ઉલ્લેખ નથી, ત્યાં અમે (આયકર રિટર્ન જમા કરનાર) વ્યક્તિને પાનની ફાળવણી કરવાની સંભાવનાને વિશે વિચારી શકે છે.'
માત્ર 22 કરોડ લોકોની પાસે છે પાનઃ
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ભારતમાં 1.2 અરબથી અધિક લોકો પાસે આધારકાર્ડ છે કે જ્યારે આની તુલનામાં પાનકાર્ડ માત્ર 22 કરોડ લોકોની પાસે છે. જેથી કરદાતા પાન નંબર ન હોવા પર આધાર કાર્ડ નંબરથી આયકર રિટર્ન ભરી શકે છે.