બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / government of india extended the rs 50 lakh insurance cover to frontline health workers fighting covid 19 for another six months
Last Updated: 11:20 AM, 16 September 2020
ADVERTISEMENT
જાણો શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના...
આ ઈન્શ્યોરન્સ કવરનો લાભ કેન્દ્ર તથા રાજ્ય સરકારો હેઠળ આવનારી હોસ્પિટલમાં કામ કરનારા ડોક્ટરો, નર્સો, ચિકિત્સા મદદગારો, સફાઈ કર્મીઓ તથા અન્ય કેટલાક લોકોને મળી રહ્યો છે. આમાં ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ, સેવા નિવૃત, સ્વયંસેવકો, અનુબંધિત કર્મચારીઓ, દૈનિક વેતન કર્મચારીઓ, તદર્થ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ વીમા કવર લાભાર્થી દ્વારા ઉઠાવવા જઈ રહેલા અન્ય તમામ વીમાં કવરના લાભથી ઉપર છે. આ યોજના માટે કોઈ ઉંમરની મર્યાદા નક્કી નથી થઈ અને વ્યક્તિગત નોંધણીની જરુર નથી.
પ્રીમિયમની સંપૂર્ણ રકમ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. લાભ અન્ય યોજનાઓ હેઠળ અપાતા રકમ સિવાયની છે.
જાણો દુર્ઘટના વીમા યોજનામાં શું સમાવિષ્ટ છે અને શું નહીં
આ વીમામાં કોરોનાને કારણે ડ્યૂટી દરમિયાન કોઈ કર્મચારીનું મોત થાય છે તો તેને પૈસા મળશે.
સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સહિત સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા આપનારા, જેમને કોરોનાગ્રસ્ત દર્દીઓના સીધા સંપર્કમાં રહેવું પડે છે અને જેમને કોરોના થવાનો ખતરો છે. તેમનો સમાવેશ થાય છે.
ખાનગી હોસ્પિટલના કર્મચારીઓ, સેવા નિવૃત, સ્વયંસેવકો, સ્થાનીય શહેરી મડદા ઘરો, કેન્દ્રીય હોસ્પિટલ, અનુબંધિત કર્મચારીઓ, દૈનિક વેતન કર્મચારીઓ, તદર્થ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ યોજના માટે કોઈ ઉંમર નક્કી કરાઈ નથી, વ્યક્તિગત રજિસ્ટ્રેશનની જરુર નથી.
આ યોજનાના પ્રીમિયમની સંપૂર્ણ રકમ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.