ભારતીયોમાં મેદસ્વિતાને લઇને વધતી ચિંતા વચ્ચે નીતિ આયોગ વધુ ખાંડ, ચરબીયુક્ત અને મીઠાવાળા ખાદ્ય પદાર્થો પર કરવેરા અને ફ્રન્ટ-ઑફ-ધ-પૈક લેબલિંગ જેવા પગલા ભરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. ફ્રન્ટ-ઑફ-ધ-પૈક લેબલિંગથી ગ્રાહકોને વધારે ખાંડ, મીઠું અને ચરબીયુક્ત ઉત્પાદનોને ઓળખવામાં મદદ મળે છે.
મેદસ્વિતાથી પરેશાન દર્દીઓ માટે સરકાર બનાવે છે પ્લાન
ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો પર કરવેરા નખાશે?
આ વિશેષ ટેકનોલોજીનો કરાશે ઉપયોગ
રિપોર્ટમાં થયો ખુલાસો
નીતિ આયોગની સરકારી સંશોધન સંસ્થા 2021-22ના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની વસ્તી વચ્ચે મેદસ્વિતાની વધતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ પ્રકારના પગલા પર વિચાર ચાલી રહ્યો છે. આયોગે રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં બાળકો, કિશોરો અને મહિલાઓમાં વધુ વજન અને મેદસ્વિતાની સમસ્યા સતત વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 24 જૂન 2021ના નીતિ આયોગના સભ્યની આગેવાનીમાં માતા, કિશોરો અને બાળકોને મેદસ્વિતાથી બચાવવા માટે રાષ્ટ્રીય સ્તરે એક વિચાર-વિમર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે નીતિ આયોગ આર્થિક વિકાસ સંસ્થા અને ભારતીય જાહેર સ્વાસ્થ્ય સંગઠનના સહયોગથી આ દિશામાં કામ કરી રહ્યું છે. જેના દ્વારા ઉપલબ્ધ પુરાવાના આધારે ઉપાડવામાં આવેલા પગલાની ઓળખ કરાઇ રહી છે.
આ ઉપાયો પર ચાલી રહ્યો છે વિચાર
આ ઉપાયો હેઠળ ફ્રન્ટ-ઑફ-પેક લેબલિંગ, HFSS (ખાંડ, ચા અને ચરબીયુક્ત ઉંચી માત્રાવાળા ઉત્પાદન) ઉત્પાદનોનું માર્કેટિંગ અને જાહેરાત અને વધારે ખાંડ અને મીઠાવાળા ઉત્પાદનો પર ટેક્ષ લગાવવો સામેલ છે. નોન-બ્રાન્ડેડ નમકીન, ભજીયા, વેજીટેબલ ચિપ્સ અને સ્નેક્સ પર પાંચ ટકા GST કપાય છે, જ્યારે બ્રાન્ડેડ અને પેકેટવાળા ઉત્પાદનો પર GST દર 12 ટકા છે.