મોદી કેબિનેટની બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શેરડી પકવતા ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવાયો છે.
શેરડી પકવતા ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય
શેરડીના યોગ્ય અને લાભકારી ભાવમાં કર્યો 15 રુપિયાનો વધારો
શેરડીના ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 15 રુપિયા વધારે મળશે
મોદી સરકારે શેરડી પકવતા ખેડૂતોની આવક વધારવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે શેરડીના યોગ્ય અને લાભકારી ભાવને 15 રુપિયા વધારીને ક્વિન્ટલ દીઠ 305 રુપિયા કરવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આવો નિર્ણય લેવાયો હતો.
Government approves Fair and Remunerative Price of sugarcane payable by Sugar Mills to sugarcane farmers for sugar season 2022-23. Highest ever Fair and Remunerative Price of Rs 305/qtl approved for Sugarcane Farmers: Cabinet Committee on Economic Affairs (CCEA)
શેરડીના ખેડૂતોને મળશે મોટી રાહત
મોદી સરકારના 15 રુપિયાના વધારા બાદ શેરડી પકવતના ખેડૂતોની આવકમાં વધારો થશે.
શેરડીની FRPને 290 રુપિયાથી વધારીને 300 રુપિયા કરાઈ
કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ દ્વારા એવું જણાવાયું કે સરકારે શેરડીની સિઝન 2022-23 માટે શેરડીના ખેડૂતોને સુગર મિલ્સ દ્વારા ચૂકવાતી યોગ્ય અને લાભદાયી કિંમતમાં વધારાને મંજૂરી આપી છે. હવેથી શેરડીના ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 305 રુપિયા યોગ્ય અને લાભદાયી કિંમત મળશે જે પહેલા 290 રુપિયા હતી આ રીતે યોગ્ય અને લાભદાયી કિંમતમાં 15 રુપિયાનો વધારો થયો છે.
To increase farmers' income, govt increased FRP by more than 34% in past 8yrs. GoI is committed to improve economic condition of farmers. Decision will benefit 5cr sugarcane farmers, their dependents & 5 lakh workers employed in sugar mills & related ancillary activities: CCEA
છેલ્લા આઠ વર્ષમાં FRPમાં 34 ટકાનો વધારો કર્યો
કમિટીએ કહ્યું કે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છેલ્લા આઠ વર્ષમાં FRPમાં 34 ટકાનો વધારો કર્યો છે. સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા સમર્પિત છે. FRP વધારવાના નિર્ણયને કારણે 5 કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતો અને સુગર મિલમાં કામ કરતા 5 લાખ મજૂરોને લાભ મળશે.