આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે એક થવા માટે છોટુ વસાવા અને મહેશ વસાવાને મળ્યા ગોપાલ ઇટાલિયા
AAP-BTPસાથે કરશે ગઠબંધન
AAP દ્વારા BTPને અપાવામાં આવ્યું ગઠબંધનનું નિમંત્રણ
આદિવાસી વિસ્તારના પ્રશ્નોને લઇ ગઠબંધન માટે નિમંત્રણ
વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક તરફ પાટીદાર આગેવાન નરેશ પટેલને રાજકારણમાં લાવી પોતાની પાર્ટીમાં જોડવા કોંગ્રેસ અને AAP એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે કોંગ્રસ અને આપ બંધ બારણે ખેલ પાડી રહી છે. ત્યારે આજે છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે ગુજરાતના AAPના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ મુલાકાત કરી.
આદિવાસીઓના પ્રશ્નો માટે એક થવાની જરૂર - ઇટાલીયા
ગુજરાતના મોટા આદિવાસી નેતા અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે આપ દ્વારા બીટીપીને ગઠબંધનનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારના પ્રશ્નોને લઇ ગઠબંધન કરવા માટે નિમંત્રણ આપ્યું છે. આ અંગે ગોપાલ ઇટાલિયાએ છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે મુલાકાત પણ કરી . તેઓએ જણાવ્યું કે આદિવાસીઓના પ્રશ્નો માટે એક થવાની જરુર છે.
AAP-BTP વચ્ચે થશે ગઠબંધન ?
દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે કોંગ્રસ અને આપ બંધ બારણે ખેલ પાડી રહી છે. ગુજરાતના મોટા આદિવાસી નેતા અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાનું લોબિંગ કોંગ્રેસ અને AAP ના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે. છોટુ વસાવા સાથે કોંગ્રેસ અને AAPના મોટા નેતાઓની બંધ બારણે બેઠક થઈ ચૂકી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે બીટીપી કોંગ્રેસમાં જોડાશે કે પછી આપમાં. જો કોઇ પક્ષમાં ન જાય તો કઇ પાર્ટી સાથે ગઠબંધન કરશે તે જોવુ રહ્યુ.
અમે ઇચ્છીએ કે છોટુભાઈ અમારી સાથે જોડાય : સુખરામ રાઠવા
વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઇ ચૂક્યા છે ત્યારે આદિવાસી અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ છોટુ વસાવાને લઈ મોટું નિવેદન આપ્યું હતું કે છોટુભાઈ અમારા આદિવાસી નેતા છે. છોટુભાઈને કોંગ્રેસમાં સમાવવા કે નહિ તે મામલે અમારું મોવડી મંડળ લેશે. હાલ અમારી કોશિષ પણ છે અને અમે ઇચ્છીએ કે છોટુભાઈ અમારી સાથે જોડાય.
છોટુ વસાવા માટે AAPમાં લાલ જાજમ તૈયાર : AAP
BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાને AAP ના નેતા અને રણનીતિકારોને પણ મળ્યા છે. અને અંદરખાને મોટી બેઠક પણ કરી છે. AAPના નેતા ઈસુદાન ગઢવીના નિવેદન મુજબ અમારી છોટુભાઈ વસાવા સાથે બેઠક થઇ છે અને AAPમાં લાલ જાજમ તૈયાર હોવાની પણ વાત કરી છે.
કોઈ પાર્ટી સાથે મર્જ નહી થાય BTP : છોટુ વસાવા
તો આ તરફ કોંગ્રેસ અને AAP સાથેના સંપર્ક મુદ્દે છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપતા ગઇ કાલે જણાવ્યું હતું કે BTP પોતાની રીતે ચૂંટણી લડશે કોઈની સાથે સમર્થન નહીં કરે AAP સાથે વાતચીત ચાલે છે, હજુ કઈ નક્કી નથી, ક્યાં પક્ષ સાથે ગઠબંધન કરવું તે નક્કી કરીશુ . સાથે એ પણ ચોખ્ખું જણાવ્યુ હતું કે કોઈ પાર્ટી સાથે BTP મર્જ નહી થાય, અમારા અધિકારની વાત કરશે તેની સાથે વાત કરીશુ.