રાજ્યમા ખરીફ ઋતુથી અત્યાર સુધીમાં 45.20 ટકા સાથે 38 લાખ 71 હજાર 399 હેક્ટરમાં વાવેતર કરાયુ છે.. રાજ્યમાં કુલ 85 લાખ 65 હજાર હેક્ટટર પૈકી 38 લાખ 71 હજાર 399 હેક્ટરમાં વાવેતર કરાયુ છે.. આ વર્ષે ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે.. 25.26 ટકા સાથે ડાંગરનુ 1 લાખ 97 હજાર 715 હેક્ટરમાં વાવેતર થયુ છે..
69 હજાર 967 હેક્ટરમાં બાજરીનુ 43.74 ટકા વાવેતર થયુ છે.. રાજ્યમાં કુલ અનાજના પાકોનુ 39.92 ટકા સાથે 5 લાખ 35 હજાર 773 હેક્ટરમાં વાવેતર થયુ છે.. કઠોળમાં રાજ્યમાં તુવેરનુ 52.78 ટકા સાથે 1 લાખ 50 હજાર હેક્ટરમાં વાવેતર થયુ છે.. રાજ્યમાં મગનુ માત્ર 15 હજાર હેક્ટર 10 ટકા જ વાવેતર થયુ છે.. જ્યારે મઠનુ 5 ટકા અડદનુ 34 ટકા વાવેતર થયુ છે.. રાજ્યમાં કુલ કઠોળ પાકોનુ 36.83 ટકા સાથે 2 લાખ 11 હજાર 751 હેક્ટરમાં વાવેતર કરાયુ છે..
આમ રાજ્યમાં કુલ 45.20 ટકા સાથે 38.71 લાખ હેક્ટરનું વાવેતર થયુ છે. 85.65 લાખ હેક્ટર પૈકી 38.71 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં આ વર્ષે ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે. અનાજના વાવેતરમાં 39.92 ટકા સાથે 5.35 લાખ હેક્ટરમાં અન્ય અનાજનું વાવેતર થયુ છે. અન્ય કઠોળનું 32 ટકા સાથે 2200 હેક્ટરમાં વાવેતર અને 36.83 ટકા સાથે 2.11 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયુ છે.
રાજ્યમાં અન્ય તેલીબીયા પાકોનું 16 હેક્ટરમાં વાવેતર જ્યારે કુલ 41.52 ટકા સાથે 10.05 લાખ હેક્ટરમાં તેલીબીયાનું વાવેતર કરાયું છે. સાથે જ અન્ય પાકોમાં કપાસનું 66.20 ટકા સાથે 17.22 લાખ હેક્ટરનું વાવેતર થયું છે તમાકુનું 27 હેક્ટરમાં ગુવાર સીડનું 5.57 ટકા સાથે 14 હજાર હેક્ટરમાં શાકભાજીનું 42.16 ટકા સાથે 94 હજાર હેક્ટરમાં અને ઘાસચારાનું 2.87 લાખનું વાવેતર કરવામાં આવ્યું છે.