સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવેશિલ્ડ વેક્સિન કોરોના સામે 93 ટકા રક્ષણ આપે છે અને મૃત્યુદરમાં 98 ટકાનો ઘટાડો કરતી હોવાની માહિતી તાજેતરના એક સ્ટડીમાં આપવામાં આવી છે.
કોવિશિલ્ડ રસી કોરોનાની સામે 93% રક્ષણ આપે છે
મૃત્યુદરમાં પણ 98 ટકા સુધીનો ઘટાડો લાવે છે.
કેન્દ્ર સરકારે તાજેતરના એક સ્ટડીને ટાંકીને માહિતી આપી
કોરોના વેક્સિનની અસરકારકતા અંગે જાતજાતના દાવા અને સ્ટડી કરાયા છે પરંતુ આ બધામાં તાજેતરના સ્ટડીમાં સીરમની કોવિશિલ્ડ અંગે જે તારણ સામે આવ્યું છે તે તો ખૂબ મહત્વનું છે. કોરોના સામે સૌથી મજબૂત વેક્સિન કોવિશિલ્ડ બની હોવાનો સ્ટડીમાં દાવો કરાયો છે. કોરોના સામે તે 93 ટકા રક્ષણ આપે છે.
સશસ્ત્ર દળ મેડિકલ કોલેજ (એએફએમસી) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડી અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવેશિલ્ડ વેક્સિન કોરોના સામે 93 ટકા રક્ષણ આપે છે અને મૃત્યુદરમાં 98 નો ટકાનો ઘટાડો કરે છે.
NITI આયોગના સભ્ય વી.કે.પૌલે આ અભ્યાસના પરિણામો મીડિયા સમક્ષ રજૂ કર્યા. તેમણે કહ્યું, 'કોવિશિલ્ડમાં 93 ટકા સુરક્ષા જોવામાં આવી છે.COVID-19 સામેની લડતમાં રસીની ઉપયોગિતા પર ભાર મૂકતા, પોલે કહ્યું કે રસી અપાવવાથી ચેપ ઓછો થાય છે પરંતુ તે સંપૂર્ણ ગેરંટી નથી. તેમણે કહ્યું, "કોઈ રસી બાંયધરી આપતી નથી કે ચેપ લાગશે નહીં, પરંતુ ગંભીર રોગને અટકાવવામાં આવે છે અને વર્ચ્યુઅલ રીતે નાબૂદ કરવામાં આવે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની અઠવાડિક હેલ્થ બ્રીફિંગમાં આ માહિતી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કુલ 22 જિલ્લા, 7 જિલ્લા કેરળના, 5 મણીપુરના, 3 મેઘાલયના, માં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.
ઘટાડાના રેટમાં ઘટાડો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય
લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાનો અઠવાડિક એવરેજ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ જો આપણે અગાઉના કેસોની તુલના હાલના કેસો સાથે કરીએ તો આપણને જણાશે કે તેના ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકાર આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વાત કરી રહી છે.
વેક્સિનને કારણે 98 ટકા કેસોમાં જીવન બચી જાય છે
તેમણે કહ્યું આગામી તહેવારો પહેલા વેક્સિનેશનમાં ઝડપ લાવવાની ખૂબ જરુર છે. કારણ કે વેક્સિનને કારણે 98 ટકા કેસોમાં જીવન બચી જાય છે. નીતિ આયોગના મેમ્બરે વીકે પૌલે જણાવ્યું કે કોઈ પણ વેક્સિન 100 ટકા ગેરન્ટી આપતી નથી પરંતુ આપણી સહિત તમામ વેક્સિન ગંભીર બીમારી કે રોગનો જળમૂળથી ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. મોતના જોખમ પણ લગભગ ઘટી જાય છે.