બજારમાં ખેડૂતો માટે ઈફકો નેનો ખાતર આવી ગયું છે. જે ખાતર પ્રવાહી સ્વરૂપે કંપની દ્વારા બનાવામાં આવ્યું છે. કંપની દ્વારા આ ખાતરનું ઉત્પાદન વધારવા બીજા 4 નવા પ્લાન્ટ સ્થાપવામાં આવશે
બજારમાં હવે પ્રવાહી સ્વરૂપે ખાતર મળિી રહેશે
500 ML ખાતરની કિંમત 240 રૂપિયા
રોજનું 70 હજાર બોટલનું ઉત્પાદન શરૂ
ગુજરાતના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાતર માટે વલખા મારતા હતા. પરંતુ હવે તેમની આ સમસ્યા દૂર થઈ જશે. કારણકે ખેડૂતો હવે પ્રવાહી સ્વરૂપે ખાતર મળી શકશે. જેમા 500 ML ખાતરની કિંમત 240 રૂપિયા રાખવામાં આવી છે. જેમા યુરીયા ખાતર ખેડૂતોને પ્રવાહી સ્વરૂપે આપવાની વાત કરી છે.
ઈફકો નેનો ખાતર
જે પ્રવાહી ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું છે તે ખાતરનો ઉપયોગ એક એકરમાં કરી શકાશે. આ ખાતરનું નામ ઈફકો નેનો ખાતર રાખવામાં આવ્યું છે. જેમા ગુજરાતના કલોલમાં તેનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
રોજનું 70 હજાર બોટલોનું ઉત્પાદન
દિવસનું અહીયા 70 હજાર જેટલી બોટલોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે નેનો યુરિયા ખાતરના 1 કરોડ ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે. અને તેમા પણ આ ખાતર વગર કોઈ સબસિડીએ 240 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે.
જમીન અને આરોગ્ય પર કોઈ આડઅસર નથી
જે પ્રવાહી ખાતર બનાવામાં આવ્યું છે તેની જમીન કે પછી આરોગ્ય પર કોઈ વિપરીત અસર નથી થતી. આપને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના સૌથી પહેલા પ્રવાહી ખાતરનું ઉત્પાદન આપણા ગુજરાતના કલોલમાં થઈ રહ્યું છે.
બીજા 4 નવા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ખાતરની વધતી જતી માગને લઈને ઈફકો કંપની દ્વારા ભારતમાં અન્ય ચાર સ્થળો ઉપર પણ 4 પ્લાન્ટ સ્થાપવામાં આવશે. સાથેજ ખાતરનું ડુપ્લિકેશન ન થાય તે માટે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. બીજી એક મહત્વની વાત એ કે એક વાર જો તમે આ બોટલો ઉપયોગ કરી લેશો તો બીજી વખત તેનો ઉપયોગ નહી કરી શકો.