તહેવારની સિઝનમાં જ્વેલરી ઉત્પાદકોની માગ વધવાથી દિલ્હીના જ્વેલરી માર્કેટમાં શુક્રવારે સોનાની કિંમતમાં 700 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે જ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 38,970 પર પહોંચ્યો હતો.
સોનાની કિંમતમાં વધારો
700 રૂપિયાનો ઉછાળો
ચાંદીના ભાવમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં ચાંદી રૂ. 870 ઘટીને એક મહિનાના તળિયે રૂ. 46,250 પર બંધ થઈ છે. લંડન અને ન્યુ યોર્કમાંથી મળતી માહિતી અનુસાર, સોનાનો સ્પોટ આજે 8.05 ડોલર ઘટીને 1,497.15 પ્રતિ ઔસ પર પહોંચી ગયો છે. ગુરુવારે પણ તેમાં બે ટકાનો ઘટાડો થયો હતો.
તહેવારની સિઝનમાં સોનાની માગ વધી
તહેવારની મોસમને જોતા સ્થાનિક બજારોમાં પણ જ્વેલરી નિર્માતાઓએ સોનાની ખરીદીમાં વધારો કર્યો છે. તેનાથી સોનાની કિંમતમાં 700 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને તે 11 સપ્ટેમ્બર બાદ ઉચ્ચતમ સ્તર 38,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચેલ.
29 સપ્ટેમ્બર બાદ 40,000 સુધી પહોંચી શકે છે સોનુ
29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે. જે બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. કેમકે કિંમતી ધાતુઓની મોટા પ્રમાણમાં ખરીદી જોવા મળી શકે છે. આશા દર્શાવાઇ રહી છે કે ફેસ્ટિવ સીઝન દરમિયાન સોનાના ભાવમાં ફરી એકવાર 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જઇ શકે છે.
દિવાળીની સિઝન દરમિયાન ભાવમાં થશે ઉછળશે
ભારતમાં નવરાત્રી બાદ ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે, જેથી સોના અને ચાંદી સહિત નવી વસ્તુઓ ખરીદવાના શુભ મુહૂર્ત બની રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શાંતિ ભાઇ પટેલે કહ્યું કે નવરાત્રીથી શરૂ થનારી ખરીદી આગળ ધનતેરસ અને દિવાળી સુધી રહેશે. ત્યારબાદ લગ્નની સીઝન શરૂ થઇ રહી છે. જેથી ઘરેલૂ બજારમાં સોના અને ચાંદીની માંગ બની રહેશે.