કચ્છઃ ભચાઉના કબરાઉ ગામમાં વર્ષોથી બિરાજતા મણિધર મોગલ માંનો અનેરો મહિમા છે. દર વર્ષે દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોગલ માંના દર્શને આવે છે.
શુ છે શ્રદ્ધાળુઓની અનોખી વિશેષતા...
અનેરો છે આ મંદિરનો મહિમા...
કચ્છ જિલ્લામાં અનેક તીર્થધામ અને પ્રાચીન મંદિરો આવેલા છે. જેનો કંઇક ને કંઇક મહિમા છે. ભચાઉ વાયા દુધઇ ધોરીમાર્ગ પર કબરાઉ ગામનું વિશાળ ઘેઘુર વૃક્ષોની વચ્ચે ઐતિહાસિક વૃક્ષની બખોલમાં આવેલા `મા મોગલ'ના મંદિરના ઓટલે સમગ્ર કચ્છ ઉપરાંત દૂર દૂરથી હજારો ભાવિકો માના દર્શને ઊમટી રહ્યા છે. કબરાઉની સીમમાં કુંભારડી-કબરાઉ અને ગુણાતીપુરથી દોઢ કિલોમીટર દૂર ગાડા માર્ગના રસ્તે આવેલા આ મોગલ ધામમાં દર મંગળવારે માતાજીને નેવૈદ લાપસીનો પ્રસાદ ધરાવાય છે. આ પ્રસાદ 15000થી વધુ સંખ્યામાં નાત-જાતના ભેદભાવ વિના તમામ ભાવિકો એકસાથે બેસીને લે છે. ગાયોને દર મંગળવારે નીરણ કરાવાય છે.
ધામમાં કોઇ ટ્રસ્ટ કે સમિતિ મંડળ નથી
આ ધામમાં કોઇ ટ્રસ્ટ કે સમિતિ મંડળ નથી. ઉપરાંત માના સ્થાનકે કોઇ રોકડ કે ભેટ-સોગાદ પણ મૂકવાની મનાઇ છે. સપ્તાહમાં મંગળવાર ઉપરાંત ગુરુ-રવિના પણ 8થી 10 હજાર ભાવિકો પ્રસાદ લે છે. બાકીના 4 દિવસે 200-250 જેટલા ભાવિકો પ્રસાદનો લાભ લે છે. માના ચોકમાં રાસ-ભજન-ગરબા રમાય છે. કબરાઉથી વાહનો મળતા હોવાથી પ્રવાસીઓને સગવડ રહે છે.
દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં આવે છે ભક્તો
મોગલધામ આજે કચ્છ નહિ પરંતુ દેશ-વિદેશમાં જાણીતું આધ્યાત્મિક અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દર રવિવાર અને મંગળવારના અહી દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં માં મોગલના ચરણોમાં મસ્તક જુકવવા અને આશીર્વાદ લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક મંદિરોમાં દાન પેટીઓ મુકવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા મુજબ દાન અર્પણ કરતા હોય છે. અથવા તો નાળીયેર તથા પ્રસાદી દેવી-દેવતાઓના ચરણો માં ધરાવતા હોય છે. પરંતુ આ મોગલ માંના મંદિરે કોઈ પણ દાન પેટી રાખવામાં આવી નથી. અને કોઈ પણ પ્રકારનું દાન ગ્રહણ કરવામાં આવતું નથી. કોઈ વસ્તુ પણ ધરાવવામાં આવતી નથી.
ત્યારે વધુ વિગતો આપતા માં મોગલ ધામના પુજારી સામતભા ગઢવીએ માં મોગલની વિશેષતા અને શ્રદ્ધા અંગે જણાવ્યું હતું કે માં મોગલએ ચારણ સમાજની દીકરી છે.
અહીં માંની અસીમ કૃપા અને આશીર્વાદથી અનેક લોકોને કેન્સર એડ્સ જેવી જીવલેણ બીમારીઓથી મુક્તિ મળી હોય તેવા પરચા માં મોગલએ દેખાડ્યા છે. તેથી શ્રદ્ધાળુઓમાં માતા પ્રતેય અતુટ શ્રદ્ધા રહેલી છે અહીં બિરાજે છે અને દરેક અંધશ્રદ્ધાથી લોકોને અહીં દુર રાખવામાં આવે છે. કોઈ પણ જાતની મનોકામના માટે વ્રત કે ઉપવાસ કરવામાં આવતા નથી તેથી માં મોગલનું એક માત્ર સ્થળ જે લોકોને અંધશ્રધાથી દુર રાખવાનું ઉદાહરણ પૂરું પડે છે.