કોંગ્રેસની અંતર્ગત પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનું મોટું નિવેદન બહાર આવ્યું છે. નામ લીધા વિના તેમણે હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ સૌથી નીચા સ્તરે પહોંચી ચૂકી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો કાર્યકર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણીઓ 5 સ્ટાર હોટેલોમાં બેસીને JITI શકાતી નથી, અમે ચિંતિત છીએ, દરેક પરાજેઓથી ચિંતિત છીએ, ખાસ તો બિહાર અને પેટાચૂંટણીઓના પરિણામોથી ચિંતામાં છીએ"
કોંગ્રેસી નેતા એ જ કોંગ્રેસને દેખાડ્યું દર્પણ
"પાર્ટીના નેતાઓ લોકો સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યા છે": ગુલામ નબી
"અમે બિહાર અને પેટાચૂંટણીઓના પરિણામોથી ચિંતામાં": કોંગ્રેસી નેતા
ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, "જે લોકો ત્યાં છે તેઓ જમીન સ્તરના કાર્યકરો અને લોકો સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યા છે. બ્લોકના લોકો સાથે, જિલ્લાના લોકો સાથેનું પાર્ટી નેતાઓનું જોડાણ તૂટી ગયું છે. સમસ્યા એ છે કે જ્યારે અમારી પાર્ટીમાં કોઈ અધિકારી બને છે, ત્યારે તે પોતાના લેટર પેડ છાપે છે અને વિઝિટિંગ કાર્ટ બનાવે છે. તે સમજે છે કે મારું કામ હવે પૂરું થઈ ગયું છે. હકીકતે કામ તો એ સમયથી શરૂ થવું જોઈએ."
5-स्टार से चुनाव नहीं लड़े जाते। हमारे नेताओं के साथ समस्या है कि अगर टिकट मिल गया तो 5-स्टार में जाकर बुक हो जाते हैं। एयर कंडीशनर गाड़ी के बिना नहीं जाएंगे, जहां कच्ची सड़क है वहां नहीं जाएंगे। जब तक ये कल्चर हम नहीं बदलेंगे, हम चुनाव नहीं जीत सकते : गुलाम नबी आज़ाद, कांग्रेस pic.twitter.com/vZgICZWPnA
એટલું જ નહીં ગુલામ નબી આઝાદે એક શેર પણ વાંચ્યો હતો, તેમણે કહ્યું, " પાર્ટી તરફે પ્રેમ પ્રેમ હોવો જોઈએ, યે ઈશ્ક નહીં આસાન, ઇતના સમજ લીજીએ, એક આગકા દરિયા હે, ઓર ડૂબ કે જાના હે..આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસનું સ્ટ્રક્ચર નબળું છે, આપણે પહેલા સ્ટ્રક્ચર બનાવવું પડશે. પછી કોઈપણ નેતા તેમાં હશે. ફક્ત નેતા બદલીને, તમે કહો કે પાર્ટી બદલાશે તેવુ નહીં થાય, બિહાર આવશે, મધ્યપ્રદેશ આવશે, ઉત્તર પ્રદેશ આવશે, અથવા તે સિસ્ટમ સાથે બદલાશે.
#WATCH हमारा ढ़ांचा कमजोर है, हमें ढ़ांचा पहले खड़ा करना पड़ेगा। फिर उसमें कोई भी नेता हो चलेगा। सिर्फ नेता बदलने से आप कहेंगे कि पार्टी बदल जाएगी, बिहार आएगा, मध्य प्रदेश आएगा, उत्तर प्रदेश आएगा, नहीं वो सिस्टम से बदलेगा : गुलाम नबी आज़ाद, कांग्रेस pic.twitter.com/t8xwmXpWaR
મહત્વ નું છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી આવતા મહિને થવાની સંભાવના છે. છેલ્લા ઘણા સમયથી પાર્ટી પ્રમુખના પદ માટેની ચૂંટણી અંગે વિવાદ ચાલતો હતો. નેતાઓએ એક પત્ર લખ્યો હતો જે વિવાદમાં પણ હતો. હવે ગુલામ નબી આઝાદ દ્વારા અપાયેલા નિવેદનમાં સવાલ ઉભા થાય છે કે શું ફરી એકવાર અધ્યક્ષના પદ અંગે વિવાદ થશે?
#WATCH हमारे लोगों का ब्लॉक स्तर पर, जिला स्तर पर लोगों के साथ कनेक्शन टूट गया है। जब कोई पदाधिकारी हमारी पार्टी में बनता है तो वो लेटर पैड छाप देता है, विजिटिंग कार्ड बना देता है, वो समझता है बस मेरा काम ख़त्म हो गया, काम तो उस समय से शुरू होना चाहिए :गुलाम नबी आज़ाद, कांग्रेस pic.twitter.com/jquPWnwNmO
નોંધનીય છે કે એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે તેઓને પાર્ટીના વડા બનવામાં રસ નથી, તેથી છેલ્લા દોઢ વર્ષથી કોંગ્રેસ પાસે પ્રમુખ નથી. તેમણે કહ્યું, 'કોઈ નેતા વગર દોઢ વર્ષ સુધી પાર્ટી કેવી રીતે કામ કરી શકે છે? કોંગ્રેસના કાર્યકરોને ખબર નથી હોતી કે ક્યાં જવું જોઈએ. આ સિવાય પી.ચિદમ્બરમે પાર્ટીની નબળી સંગઠનાત્મક તાકાતની પણ ટીકા કરી હતી.
જો કે સલમાન ખુર્શીદે આ અંગે કપિલ સિબ્બલને જવાબ વાળ્યો હતો અને કહ્યું હતું કે રાહુલ અને સોનિયા ગાંધીની શાખને પૂર્ણ સમર્થન છે, ઘણા પાર્ટીઓમાં અધ્યક્ષ નથી હોતા, આ અંગે તેમણે BSP અને ડાબેરી દળોનું ઉદાહરણ આપ્યું હતું. આમ હાલમાં ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વિવાદ વકરી રહેલો જણાય છે.