બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Get ready for a big twist in Mirzapur Season 3: Is Munna Bhaiyya alive? Kalin Bhaiya's daughter-in-law will take revenge

મોટા અપડેટ / Mirzapur Season 3 માં મોટા ટ્વીસ્ટ માટે થઈ જાઓ તૈયાર: શું જીવિત છે મુન્ના ભૈયા? કાલીન ભૈયાની વહુ લેશે બદલો

Last Updated: 10:47 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મિર્ઝાપુર' વેબ સિરીઝે ભારે ખળભળાટ મચાવ્યો હતો. હવે ચાહકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો જાણવા માગે છે કે 'મિર્ઝાપુર 3' ક્યારે રિલીઝ થશે અને આ વખતે તેની સ્ટોરી શું હશે.

  • મિર્ઝાપુર 3 વિશે એક મોટું અપડેટ સામે આવ્યું 
  • મુન્નાભાઈ વિશે પણ નવી માહિતી સામે આવી 
  • ખુદ મિર્ઝાપુરની કલાકારોએ આ વાતનો ખુલાસો કર્યો 
  • માધુરીનો રોલ કરનાર ઈશા તલવારે આ માહિતી શેર કરી


OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'મિર્ઝાપુર'ની બંને સિઝન સુપરહિટ સાબિત થઈ હતી. ફેન્સ હવે 'મિર્ઝાપુર-3'ની રાહ જોઈ રહ્યા છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને વિક્રાંત મેસીની 'મિર્ઝાપુર 3' ક્યારે આવશે અને આ વખતે શું હશે સ્ટોરી. અભિનેત્રી ઈશા તલવારે આ સીરીઝને લઈને મોટો ખુલાસો કર્યો છે. ચાલો આપણે જાણીએ કે 'મિર્ઝાપુર 3'ના કલાકારોએ સીરિઝ વિશે શું મોટી માહિતી આપી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન 'મિર્ઝાપુર 3' માં 'કાલીન ભૈયા'ની વહુ અને મુન્નાની પત્ની 'માધુરી'ની ભૂમિકા ભજવનાર ઈશા તલવારે વેબ સિરીઝ વિશે એક નવું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે હાલમાં તે મિર્ઝાપુર સિઝન-3નું શૂટિંગ કરી રહી છે. ત્રીજી સિઝનમાં તેની ભૂમિકા ઘણી મહત્વની છે. સીઝન-2માં પણ 'માધુરી'ના પાત્રમાં ઈશા તલવારને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

મિર્ઝાપુર-3ના શુટિંગ પહેલા જ કાલીન ભૈયાએ ખોલ્યા મોટા રાઝ, જાણો શું | Big  secrets revealed by Kalin Bhaiya just before the shooting of Mirzapur-3,  know what

મુન્નાની વિધવા તેના પતિના મોતનો બદલો લેશે

મિર્ઝાપુર કાસ્ટઃ અભિનેત્રીએ સંકેત આપ્યા છે કે 'માધુરી' ત્રીજી સિઝનમાં 'ગુડ્ડુ ભૈયા' અને 'ગોલુ'માંથી 'મુન્ના ભૈયા'ના મોતનો બદલો લેવા જઈ રહી છે. કાલીન ભૈયા સાથેના તેના સંબંધો પણ જોવા લાયક હશે.

Topic | VTV Gujarati

મુન્નાભૈયા જીવીત છે ?

સમાચાર એવા પણ આવી રહ્યા છે કે દિવ્યેન્દુ શર્મા 'મિર્ઝાપુર-3'નું શૂટિંગ કરી રહ્યો છે. આ જ કારણ છે કે ચાહકોને આશા છે કે આ સિઝનમાં મુન્ના ભૈયા ગુડ્ડુ ભૈયા અને ગોલીનો બદલો લેતા જોવા મળશે.

મુન્ના ભૈયાનું મૃત્યુ

'મિર્ઝાપુર 2'ના અંત સુધીમાં ચાહકોએ જોયું કે સત્તા માટેની આ લડાઈ ઉગ્ર બની ગઈ છે. કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)ના એકમાત્ર પુત્ર 'મુન્ના ભૈયા' (દિવ્યેન્દુ શર્મા)ની ગુડ્ડુ ભૈયાએ હત્યા કરી હતી. હવે ફરી એકવાર નવી સિઝનમાં મેકર્સ આ સ્ટોરીને નવેસરથી લાવવા જઈ રહ્યા છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Getready KalinBhaiya MirzapurSeason3 MunnaBhaiyya Twist Webseries Mirzapur Season 3
Pravin Joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ