અમદાવાદમાં ગુનાખોરી બેફામ બની હોય તેવી ઘટના શહેરના ઠક્કરનગર વિસ્તારમાં બની હતી. રવિવારે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ કાર એસેસરિઝની એક દુકાનમાં અશોક ગૌસ્વામી નામના એક વ્યક્તિ પર અંગત અદાવતમાં ગૌરવ ચૌહાણ અને તેના મળતીયાઓએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 3 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ તલવાર વડે પણ હુમલો કર્યો હતો જેમાં અશોક ગોસ્વામીની પીઠના ભાગે ઇજા પહોંચી હતી.
અમદાવાદના ઠક્કરનગરમાં ફાયરિંગ
હીરાવાડી હાઈવે નજીક ફાયરિંગની ઘટના
ફાયરિંગમાં 3 જેટલા વ્યક્તિઓને ઈજા
અમદાવાદમાં હિરાવાડી ખાતેની સિદ્ધિવિનાયક કાર એસેસરિઝની દુકાન ખાતે આ ઘટના બની હતી. 6થી 7 જેટલા શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું સામે આવ્યુ છે. CTMના ગૌરવ ચૌહાણ નામના શખ્સ પર ફાયરિંગનો આરોપ છે.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી ઓઢવ વિસ્તારના છે અને આરોપીઓ હાથીજણ વિસ્તારમાં રહે છે. આ ઘટનામાં ઇજા પામનારા અશોક ગૌસ્વામીએ ગૌરવ ચૌહાણ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે આ ઘટનામાં ફ્રેક્ચર ગેંગ જેવી ગેંગની સંડોવણી હોવાની વાત હાલમાં તો નકારી દીધી છે અને અંગત અદાવતમાં હુમલો થયાની દિશામાં તપાસ ચાલી રહી છે.