ભાવનગરઃ સરકાર દ્વારા ગૌચરની જગ્યા ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. જેના કારણે OBC ST-SC એકતા મંચર દ્વારા રાજ્યભરમા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં માલધારીઓ દ્વારા ઉપવાસ કરવામાં આવતા એક વ્યક્તિ મોત નિપજ્યુ છે. જેના કારણે માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગૌચરને બચાવવા માટે માલધારીઓ દ્વારા ગુજરાત વ્યાપી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અદાણી સહિતના જે કોઈ ઉદ્યોગપતિઓને જો સરકારે ગૌચરની જગ્યા આપી હશે તે પછી મેળવીને જ જંપીશું. નહીંતર આગામી દિવસોમાં ગાય સહીતના પશુઓને લઇને વિધાનસભાનો ઘેરાવ કરીશું.
આ ધારણા દરમયાન એક ભરવાડ આગેવાન સાજણભાઇ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરમાં ચમારડી ગામે ગૌચરની જગ્યા પરત લેવાના મામલે માલધારીઓએ કરેલા ઉપવાસ દરમયાન એક ઉપવાસી રેવાભાઈ ભરવાડનું મોત થતા માલધારીઓમાં રોષ જાગ્યો છે. ગૌચર બચાવવા હવે ગુજરાત વ્યાપી ધારણાનો કાર્યક્રમ શરૂ કર્યો છે.
આજે ભાવનગરથી આ ધરણાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રથી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ ઉમટ્યા હતા અને ધારણામાં જોડાયા હતા. આ અણડોળાંને ભાવનગરના અન્ય સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે.