જેઠ મહિનાની શુકલ પક્ષની દશમી એ ગંગા દશેરાનું પવૅ ઉજવાય છે. આ દિવસે ગંગાનું ધરતી પર હસ્ત નક્ષત્રમાં અવતરણ થયું હતું. પુરાણો પ્રમાણે આ દિવસે ગંગા સ્નાનનું ખાસ મહત્વ રહેલું છે. આ દિવસે ગંગાની ખાસ પ્રાર્થના અર્ચના અને ભગવાન શિવનું જળઅભિષેક કરવામાં આવે છે. ગંગા દશેરા પર દાન અને ઉપવાસનું મહત્વ રહેલું છે. દસ પ્રકારના પાપોને હરણ કારણે તે દશેરા કહેવામાં આવે છે. આ દસ પ્રકારના કાર્યોમાં ત્રણ કાશિક ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે.
આ વર્ષે જેઠ માસ અધિકમાસ છે તેથી અધિકમાસ શુકલપક્ષના દશમીને ગંગાદશેરા ઉજવાય છે. જે વર્ષ અધિકમાસ હોય તો તે વર્ષે અધિકમાસમાં જ ગંગા દશેરા માનવામાં આવે છે નહીં કે શુધ્ઘમાસમાં. આ દિવસે વ્યક્તિને ગંગાજી અથવા નજીકની સ્થિતિમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન અને પૂજન કરવા માટેની પરંપરા છે. ગંગા સ્નાન કરતી વખતે ઉમદા: શિવાય નારાયણ્યૈ દશેરાયૈ ગંગાયૈ નમ: નું જપ કરવું જોઇએ.