અમદાવાદ: ગણેશ મહોત્સવનો આજે 7મો દિવસ છે ત્યારે અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ પર સવાર ગણપતિની મૂર્તિ ભાવકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સરકાર દ્વારા જનતાના લાભાર્થે શરૂ કરવામાં આવેલ 108 ઇમરજન્સી સેવાની થીમ પર આધારીત ગણપતિને જોવા સ્થાનિક લોકો સહિત ઠેર-ઠેરથી ભક્તો આવી પહોંચ્યા હતા
ઉલ્લેખનીય છે કે હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે મુંબઇની જેમ ગુજરાતમાં પણ ભક્તોને ગણપતિ ઉત્સવનું ઘેલું લાગેલ છે ત્યારે આજરોજ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં 108 ઇમરજન્સી વાન પર ભગવાન ગણપતિની મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ મૂર્તિ બનાવનાર અંગે વાતચીત કરતા જાણવા મળ્યું કે મોટા ભાગના વિઘ્ન ગણપતિ દેવ દુર કરતા હોવાથી આ પ્રકારની એક થીમ બનાવવામાં આવી છે. આપને જણાવી દઇએ કે અમદાવાદના વિવિધ સ્થળે ભગવાન ગણપતિની મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
ત્યારે આ પહેલા શહેરના ચાંદલોડિયા બ્રિજ નજીક ગવર્મેન્ટ ઓફ ગણેશ નામથી તૈયાર કરવામાં આવેલ કોર્ટમાં ભગવાન ગણેશ જજ બનીને ન્યાય કરતા હોય તેવી મૂર્તિ પણ લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.