વોર્ડ નં-7માં સૌથી વધુ મતદાન તો સૌથી ઓછું મતદાન વોર્ડ-નં 5માં થયું, 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં મતદાન પૂર્ણ
સરેરાશ ટકા મતદાન થતાં તમામ પાર્ટીના જીવ અધ્ધર
વોર્ડ નં-7માં સૌથી વધુ મતદાન, સૌથી ઓછું મતદાન વોર્ડ-નં 5માં
5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે
ગાંધીનગર મનપા ચૂંટણીમાં 11 વૉર્ડની 44 બેઠકો પર આજે મતદાન થયું. સવારે ધીમી રફતારે મતદાન ચાલ્યું હતું જે બાદ બપોર પછી મતદાન મથક પર સારો એવો ઘસારો જોવા મળતા સરેરાશ 57 ટકા મતદાન થયું છે. છેલ્લી ઘડીમાં સાજે 4 વાગ્યા સુધીમાં 45% મતદાન થતાં તમામ પક્ષ દ્વારા મતદાનને મતદાન મથક સુધી પહોંચાડવાના પ્રયાસ થયા હતા અને અંતે 55%થી વધુ મતદાન થતાં હવે રાજકીય નિષ્ણાતો કયા પક્ષ તરફ વધારે મતદાન થયું છે તેના પર તર્ક આપી રહ્યા છે. એકલ દૉકલ ઘટનાઑને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. 5 ઓકટોબરના રોજ આ ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર છે. આપ વીટીવી ગુજરાતી પર સૌથી સચોટ અને સૌથી ઝડપી ચૂંટણી પરિણામ જોઈ શકશો.2015ની તુલનામાં ગાંધીનગર મનપામાં આ વખતે મતદાનની સરેરાશ સારી રહી છે. 2015માં 51%ની આસપાસ મતદાન થયું હતું.
162 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો પર મનપાની 44 બેઠકો પર 162 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. ચૂંટણી માટે 284 મતદાન મથકો પર મતદાન થયું હતું. મતદાન માટે 317 CU મશીન, 461 BU મશીન ઉપયોગમાં લેવાયા હતા. 144 સંવેદનશીલ, 4 અતિસંવેદનશીલ મતદાન મથકો હતા જેમાં એકલ દૉકલ ઘટનાઑને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે.5 ચૂંટણી અધિકારીઓની ચાંપતી નજર હેઠળ ચૂંટણી યોજાઈ. આગામી 5 ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગાંધીનગર મનપા ચૂંટણીના મતદાનમાં કયા કયા થયો હતો વિવાદ?
સેક્ટર 9
ગાંધીનગર મનપ માં મતદાન સમયે હોબાળો જોવા મળ્યો છે. પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે આમ આદમી પાર્ટીના ટેબલ પર મારામારી થઈ હોવાનું દેખાઈ આવે છે.મતદાન સમયે પોલીસની હાજરીમાં ખુરશીઓ તોડી પેપર સામગ્રી ફેંકી દેવાઈ હોવાનો આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે. AAP-ભાજપ સામ-સામે આવતા કાર્યકરો ઉગ્ર બન્યા હતા અને આપના કેન્દ્ર પર મારામારી થઈ હોવાના આરોપ લાગી રહ્યા છે. બંને પક્ષના કાર્યકર્તાઑએ પોલીસની હાજરીમાં મોટી બબાલ કરી હતી છતાંય પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હતી.
સેકટર-22
ગાંધીનગરના સેકટર-22ની સરકારી શાળામાં પણ હોબાળો જોવા મળ્યો છે. ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ હોવા છતાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પ્રચાર કરી રહયા છે. જે દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. બંન્ને પક્ષના કાર્યકરોના એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. અને એકબીજા પર પ્રચાર કરતા હોવાનો દાવો કરી રહ્યા છે.
સેક્ટર 19
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન જોરશોરથી ચાલી રહ્યું છે.પણ સેક્ટર 19ના મતદાન મથકમાં AAPના કાર્યકર્તા બુથમાં ટોપી પહેરી બેસતા વિવાદ સર્જાયો છે. દરેક પાર્ટી પોતાનો બુથ કાર્યકર ચૂંટણીમાં કાઇ ગેરરીતિ ન થાય તે માટે દરેક મતદાન મથકમાં બેસાડતી હોય છે એ જ રીતે સેક્ટર 19ના મતદાન મથકમાં AAPના કાર્યકર્તા ટોપી પહેરીને બેઠા હતા એવો કોંગ્રેસના નેતા નિશીત વ્યાસે આરોપ લગાવ્યો છે. મહત્વનું છે કે ચૂંટણીના મતદાન સમયે આચાર સાહિતા લાગતી હોવાથી મતદાન મથકની 100 મીટરની આસપાસ કોઈ પણ રીતે પ્રચાર કરવો ગેરકાયદે ગણાય છે પણ અહી તો આપનો બુથ કાર્યકર સરેઆમ ચૂંટણી નિયમોનો ભંગ કરી રહ્યો હતો અંદર બેઠેલા અધિકારીઑ પણ આ બાબતને નોટિસ કરી શક્યા ન હતા. ત્યારે સવાલ કોંગ્રેસના નેતા નિશીત વ્યાસે ચૂંટણી અધિકારીને ફોન પર કરી ફરિયાદ કરતાં AAPના મહિલા કાર્યકર્તાએ ટોપી કાઢી નાખી હતી.કોંગ્રેસ નેતાએ AAP પાર્ટી પર મોટા આરોપ લગાવ્યા છે. અને મતદાન મથકમાં બેઠેલા અધિકારી પર પણ મોટા આરોપ કર્યા છે