ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જાણો શું છે કોંગ્રેસની પ્રતિક્રિયા...
ગાંધીનગર મનપામાં કોંગ્રેસની કારમી હાર
હાર બાદ ગાંધીનગર મનપાના પ્રભારી અને ધારાસભ્ય સી.જે ચાવડાનું નીવદેન
કોંગ્રેસે હારનુ ઠિકરુ આમ આદમી પાર્ટી અને EVM પર ફોડ્યું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ 184 બેઠકોમાંથી 136 બેઠકો ભાજપે કબજે કરી છે. ગાંધીનગર મનપામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ગાંધીનગર મનપામાં 44 બેઠકમાંથી ભાજપે 41 સીટ કબજે કરી છે. જ્યારે ગાંધીનગરમાં કોંગ્રેસને 2 અને આપને માત્ર એક જ બેઠક મળી છે. તો કોંગ્રેસે હારનું ઠીકરૂં આમ આદમી પાર્ટી અને EVM પર ફોડ્યું છે.
આપ અને EVMનું સેટીંગ ચાલ્યું છે: કોંગ્રેસ
ગાંધીનગર મનપામાં કોંગ્રેસની કારમી હાર બાદ ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, CR પાટીલે આમ આદમી પાર્ટીને પોજેક્ટ કરીને મતો EVMમાં નખાવ્યા. 10 દિવસ પહેલા આવેલી આમ આદમી પાર્ટીને કઈ રીતે આટલા મત મળી શકે. લોકો શંકા ના જાય એટલા માટે આમ આદમી ઉભી કરીને મતોનુ વિભાજન કર્યું. આપ અને EVMનુ સેટીંગ ચાલ્યુ છે.
ગાંધીનગર મનપા, થરા અને ઓખા નગરપાલિકામાં ભાજપની જીત થઇ છે. જ્યારે ભણવડ નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સામે ભાજપને વધારે બેઠક મળી છે. તો એક અંદાજ મુજબ કોંગ્રેસની હાર શા માટે થઇ? તેના કારણો શું છે?
કોંગ્રેસની હારના કારણો
ગાંધીનગર જેવો મજબૂત ગઢ કોંગ્રેસે ગૂમાવ્યો
ગાંધનગર મનપામાં કોંગ્રેસનો નબળો ચૂંટણી પ્રચાર
ભાજપની સામે કોંગ્રેસનું નબળું ચૂંટણી મેનેજમેન્ટ
કોંગ્રેસના સિનિયર નેતાની પ્રચાર-પ્રસારમા ગેરહાજરી
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતના ભાગ પાડ્યો
કોંગ્રેસના સિનિયર નેતાની જૂથબંધી આ ચૂંટણીમાં પણ લડી
કોર્પોરેશનમાં કોંગ્રેસના વિઝન અને મુદ્દાનો અભાવ
ભાજપની નો રિપીટ થિયરી સામે કોંગ્રેસ વામણી પુરવાર થઇ
વોર્ડ પ્રમાણે જવાબદારી છતાં કોંગ્રેસના સિનિયર નેતાએ પ્રચાર ન કર્યો
પેટ્રોલ, ડીઝલ, મોંઘવારીનો મુદ્દે પ્રજા સુધી લઇ જવામાં કોંગ્રેસ નિષ્ફળ
નેતૃત્વ વિહિન કોંગ્રેસના કારણે કાર્યકરોમાં ચૂંટણી ઉત્સાહ ઓછરાયો
પાર્ટી બદલતા કોંગ્રેસના કોર્પોરેટરથી ગાંધીનગરની પ્રજા નરાજ થઇ
આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું પાડ્યું!
ગાંધીનગર મહાનગરપાલિકામાં AAPના કારણે એકતરફી મુકાબલો રહ્યો છે. ભાજપને 46% મત મળ્યા જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત મળ્યા છે. કોંગ્રેસ અને AAPને બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો ભાજપથી વધુ મત છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું પાડ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 8 વોર્ડમાં કોંગ્રેસ બીજા સ્થાને છે. આમ આદમી પાર્ટી કુલ 3 વોર્ડમાં બીજા સ્થાને રહી. વિપક્ષોના મત વહેંચાવાના કારણે કોઈ વોર્ડમાં ભાજપ સામે ફાઈટ રહી જ નહીં. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના કુલ 41 સભ્યો રસાકસી વગર ચૂંટાયા છે. વિપક્ષના મતોના વિભાજનથી પરિણામોમાં ક્યાંય રસાકસી જોવા ન મળી.