ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં બહુ મોટો ગરમાવો આવી ગયો છે. બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પિતા-પુત્ર વચ્ચે બહુ મોટો ખટરાગ ઉભો થયો છે. ત્યારે બાપુના પ્રેસ કોન્ફરન્સ બાદ દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ફરન્સ કરી બાપુના નારાજગી અંગે સ્પષ્ટતા કરી હતી.
મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે મારા પિતા તરીકે ચિંતા થાય તે વ્યાજબી છે. પરંતુ બાપુ મારાથી નારાજ નથી. મારા પિતાને ભાજપમાં જોડાવાની વાત કરી હતી અને પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય મારો વ્યકિતગત છે.
મારા સમર્થકો સાથે મે ચર્ચા કરી હતી. ભાજપમાં જોડાવવાનો નિર્ણય તાત્કાલિક લેવાયો નથી. ડિસેમ્બરથી ભાજપમાં જોડાવાની વાત ચાલતી હતી અને વધુમાં કહ્યું કે મારા પર ભાજપનું કોઈ દબાણ નથી.
6 મહિનાથી ભાજપમાં જોડાવવાની ચાલી રહી હતી ચર્ચા મારા મોટા ભાગના મિત્રો ભાજપમાં જોડાયા છે મારા પિતાને જાણ હતી મે તેમને સાથે ચર્ચા કરી હતી મારા પર ભાજપનો કોઇ દબાણ નથી મેં જનવિકલ્પનો પ્રચાર કર્યો જ ન હતો : મહેન્દ્રસિંહ@BJP4Gujarat#Mahendrasinhvaghelapic.twitter.com/mBrpNZLacH
ઉલ્લેખનીય છે કે કેટલાય સમયથી મહેન્દ્રસિંહ વાઘેલા કયારે ભાજપમાં જોડાશે તે વાતની ચર્ચા થતી હતી ત્યારે આ વાતનો અંત આખરે આવી ગયો હતો. કારણકે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ કેસરિયો ધારણ કરી લીધો છે.
યુથ પાર્લામેન્ટમાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા બળવંતસિંહ રાજપૂતના વેવાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં 2012 થી 2017 વચ્ચે ધારાસભ્ય રહ્યા હતા.
2017માં ચૂંટણી પહેલા પિતાને કારણે કારકિર્દી રોળાઈ હતી. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં બાયડથી ભાજપે મહેન્દ્રસિંહના વિશ્વાસુને ટિકિટ આપી હતી. મહેન્દ્રસિંહના વિશ્વાસુ ચૂંટણી જીતે પછી રાજીનામુ આપીને પોતે લડે તેવો દાવ હતો પણ આ દાવ ઉંધો પડયો હતો અને વિશ્વાસુ અદેશસિંહ વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા.