ગાંધીનગર સ્થિત જીવનઆસ્થા નામની સંસ્થા જિલ્લાની SP કચેરી દ્વારા ચાલતી એવી સંસ્થા છે જેણે અત્યાર સુધી કેટલાય લોકોના જીવ બચાવ્યા છે. જીવનઆસ્થા હેલ્પલાઈન નંબર ઉપર ડિપ્રેશનમાં આવેલા અને આત્મહત્યાના વિચારો કરતા લોકોને કાઉન્સેલિંગ આપવામાં આવે છે. અત્યાર સુધી 7થી વધુ સિનિયર મનોચિકિત્સકોની ટીમે 150થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જાણો આ સંસ્થા કેવી રીતે સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરીને લોકોના જીવ બચાવે છે?