ગાંધીનગર: રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરના તલાટી કમ મંત્રીઓએ એક દિવસના ધરણા કર્યા છે.
મળતી માહિતી અનુસાર રાજ્યઙરના તલાટી કમ મંત્રીઓએ આજે ગાંધીનગરનમાં સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા છે. પોતાના પાંચ મુખ્યો મુદ્દાઓઓને લઈને તલાટી કમ મંત્રીઓ ધરણા કર્યા છે. પગાર વધારો પેન્શન પ્રમોશન સહિતની પાંચ માગણીઓને લઈને મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રીઓએ ધરણા કર્યા છે.
નોંધનીય છે કે ગત સપ્તાહે તલાટીમંડળે જાહેર કર્યું હતું કે જો માંગણીનું નિરાકરણ નહીં આવે તો 11 હજાર તલાટીઓ કામકાજથી અળગા રહેશે.