મુંબઇ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પાર્ટીના કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓએ ગઈકાલે મહાત્મા ગાંધીની 149મી જયંતિ નિમિત્તે સેવાગ્રામ આશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લીધો. રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે બાપુ કુટીરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
આ દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ બાપૂની કુટીરમાં જમ્યા બાદ પોતાની થાળી જાતે ધોઈ હતી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાના જીવનના કેટલાક વર્ષ અહીં વીતાવ્યા હતા. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક છોડ પણ વાવ્યો.
જ્યાં તેમના પિતા રાજીવ ગાંધીએ 1986માં વાવ્યો હતો. ત્યારે કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલે કહ્યું કે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી અમારા માટે કોઈ નવી વાત નથી. ભાજપ હવે ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમના છેલ્લા વર્ષોમાં આ સ્થળે રહ્યા હતા. ગઇકાલે સેવાગ્રામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગહેલોત તથા મલ્લિકાર્જુન ખડગે સાથે રહ્યા હતા.