ભારતની અધ્યક્ષતામાં G20 બેઠક યોજાવાની છે જેમાં સમિટમાં સમાવેશ થતા તમામ દેશના સભ્યોને ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણ અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં લઈ જવામાં આવશે ત્યાં બેઠકો કરવામાં આવશે. ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છ ખાતે જ્યારે કલ્ચર વર્કીંગ ગ્રુપ મીટીંગ 23થી25 ફેબ્રુઆરીના રોજ ખજુરાહ ખાતે યાજાશે તેમજ શેરપા બેઠક 4થી લઈ 7 ડિસેમ્બર સુધી ઉદયપુરમાં G20ની ભારતની વર્ષભરની અધ્યક્ષતામાં યોજાશે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે ભારતમાં યોજાનારી સમિટની અધ્યક્ષતા સ્વીકારી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે. આ સમિટમાં મોટા મોટા નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી
વિદેશ મંત્રી એસ જયશંકરનું નવિદેન
વિદેશ મંત્રી એસ જયશંકરે G20 યુનિવર્સિટી કનેક્ટ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, સિવિલ સોસાયટીથી લઈને યુવાનો સુધીની બેઠકો પણ યોજાશે તેમજ આ સમયગાળા દરમિયાન ભારતમાં મંત્રીઓ અને અધિકારીઓથી લઈને તેમના ક્ષેત્રના નિષ્ણાતો સુધીની 200 બેઠકો યોજવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ રાષ્ટ્રપતિ પદના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર દેશમાં જી-20નું આયોજન કરવાની તૈયારી કરવામાં આવશે.
યુવાનોની સમાન ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે
ભારત કૌશલ્ય વિકાસ, ભાવિ રોજગાર, G20 ના Youth20 Engagement Group હેઠળ, સારા સ્વાસ્થ્ય અને વિકાસ એજન્ડામાં યુવાનોની સમાન ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 'જનભાગીદારીના ભાગરૂપે યુવાનોને યુનિવર્સિટીમાં G20 મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કોલેજમાં મોડલ UN મીટિંગ્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરવા પ્રોત્સાહિત કરાશે. સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા G20 પ્રતિનિધિઓનું પણ સ્વાગત કરાશે
ભારતના વિવિધ શહેરોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું-પીએમ મોદી
આવતા વર્ષે જી-20 દેશોની બેઠકની અધ્યક્ષતા સ્વીકારતા પીએમ મોદીએ કહ્યું કે, "અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. આપણા અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. અમને આશા છે કે તમે બધા લોકશાહી ભારતમાતામાં ભાગીદાર બનશો. પીએમ મોદીએ કહ્યું કે આજે આખી દુનિયાની નજર ભારત તરફ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે.