ખંભાતના ઉંદેલ ગામના પાંચ યુવાનોનું ગત રોજ ગોધરાના ઓરવાડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવાનોના મોત નીપજ્યાં હતાં. જેઓની આજે એક સાથે અંતિમયાત્રા નીકળી
એકસાથે 3 યુવકની નિકળી અંતિમયાત્રા
ખંભાતના ઉન્દેલ ગામમાં શોકનો માહોલ
કાર અકસ્માતમાં ત્રણેય યુવકના થયા હતા મૃત્યુ
મહત્વનું છે કે, ગોધરાના ઓરવાડાના નંદાપુરા બ્રિજ પરથી કાર પસાર થઇ રહી હતી. આ સમયે અચાકન કારનું ટાયર ફાય્યું હતું. કારનું ટાયર ફાટતા કાર રોંગસાઇડમાં જઇને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને લઇને કારમાં સવાર 3 યુવાનોના મોત થયા જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ ખંભાતના ઉંદેલ ગામમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી.
એકસાથે 3 યુવકોની નિકળી અંતિમયાત્રા
બીજી તરફ આજે ખંભાતના ઉંદેલમાં ત્રણેય મૃતક યુવકોની અંતિમયાત્રા એક સાથે નીકળતાં ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તિ હતી. મહત્વનું છે કે, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામના કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, કૃષિલભાઇ વિપુલભાઇ પટેલ, હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ કાર લઇને ઉજ્જૈનના ભગવાન મહાકાલના દર્શન કરવા ગયા હતા. ઉજ્જૈન મંદિરે દર્શન કરીને 5 યુવાનો કાર લઇને ખંભાતના ઉંદેલ ગામે જવા નીકળ્યા હતા. ગોધરાના ઓરવાડા પાસેના હાઇવે ઉપર પૂરઝડપે જતી કારનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર તોડીને સામેથી આવતા ટ્રેલર જોડે અથડાતા કારના કુરચેકુચ્ચા થઇ ગયા હતા.
ત્રણેય મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે કરાવ્યા હતા.
અકસ્માત થતાં કારમાં આગળ બેસેલા અને એક પાછળ બેઠેલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને સ્થાનિક અને પોલીસની મદદથી બહાર કાઢીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. બે ઇજાગ્રસ્ત હર્ષિદભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલને ગંભીર ઇજા થતાં તેઓને વડોદરા ખાતે ખસેડાયા હતા.જ્યારે કિશનભાઇ પંકજભાઇ પટેલ, શંશાકભાઇ મહેશભાઇ પટેલ, કૃષિલભાઇ વિપુલભાઇ પટેલના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. 3 મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવ્યા હતા. અકસ્માતને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પટેલ સમાજના જુવાનજોધ 3 યુવાનોના મોતથી સમાજના અગ્રણીઓ તથા મૃતકોના પરિવારજનો ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતા.