સરકાર દ્વારા વહીવટીય કામોમાં સરળતા લાવવાના ભાગરૂપે તમામ વહીવટીય કામોને પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા “ઈ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર હવે સંપૂર્ણ કામગીરી ઓનલાઈન કરશે
CM, તમામ મંત્રીઓ, અધિકારીઓ અને કર્મીઓ કરી શકશે પ્લેટફોર્મનો ઉપયોગ
એક ક્લિક પર અધિકારીઓથી લઇ મુખ્યમંત્રી ફાઈલની સ્થિતિ જોઈ શકશે
સરકાર દ્વારા વહીવટીય કામોમાં સરળતા લાવવાના ભાગરૂપે તમામ વહીવટીય કામોને પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા “ઈ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2005 થી ઈન્ટિગ્રેટેડ વર્ક ફલો એન્ડ ડોક્યુમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનથી વહીવટીય પ્રક્રિયા કરવામાં આવતી હતી. જેમાં હવે અદ્યતન ટેકનોલાજીનો સમન્વય કરીને ઈ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, અધિકારીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પારદર્શી અને પેપરલેસ વહીવટીય કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તમામ યોજનાઓથી લઈ મહત્વની ફાઈલ ઓનલાઈન બનાવવામાં આવશે. તેમજ રાજ્ય સરકારે ઓનલાઈન કામગીરી માટે ઈ-સરકાર પ્લેટફોર્મ પણ વિકસાવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, અધિકારીઓ અને કર્મીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 2.5 લાખ જેટલી ફાઈલ ઓનલાઈન કરી છે.
એક ક્લિક પર અધિકારીઓથી લઈ મુખ્યમંત્રી ફાઈલની સ્થિતિ જોઈ શકશે
ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ 15 હજાર ફાઈલો ઓનલાઈન કરવામાં આવી છે. ઈ-સરકાર પ્લેટફોર્મથી સરકારી કામગીરીને વેગ મળશે. સુશાસન સપ્તાહની ઉજવણીમાં ઈ-સરકારનું પ્લેટફોર્મ કેન્દ્રમાં રહેશે. આગામી દિવસોમાં તાલુકા કક્ષાએથી ઈ-સરકાર પ્લેટફોર્મનો ઉપયોગ શરૂ થશે અને નવી ફાઈલ અને અરજીઓ સ્કેન કરીને ડિઝીટલાઈજેશન કરવામાં આવશે. એક ક્લિક પર અધિકારીઓથી લઈ મુખ્યમંત્રી ફાઈલની સ્થિતિ જોઈ શકશે.
2024 સુધી ગુજરાત વિધાનસભાની કામગીરી પણ પેપરલેસ કરવામાં આવશે
ગુજરાતના વહિવટી તંત્રમાં પણ હવે કામગીરી પેપરલેસને સ્થાને ટેકનોલોજીનો ઉપયાગ વધારવામાં આવી રહ્યો છે. જાહેર સેવા મોટાભાગે ઓનલાઈન બાનવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત વિધાનસભા પણ ડિજિટલ બનાવીને પેપરલેસ કરવાનું આયોજન કરાયું છે. હાલ વિધાનસભાના દરેક કાર્યેા હાલ કાગળ પર થઈ રહ્યા છે તે બધા જ હવે પેપરલેસ બનશે. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો.નીમા આચાર્યએ પણ જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં ઈ–ગુજરાત વિધાનસભા પણ વર્ષ 2024 સુધીમાં પેપરલેસ બનીને પોતાનું યોગદાન આપશે.